મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ ભારતના ખેડૂત નેતા રાકેશ ટીકેતની હાજરીમાં મોરબીના રવાપર ગામે યોજાશે કિસાન મહાસભા મોરબી રવાપર ચોકડી પાસેથી રોકડ રકમ મળી, જેની હોય તેણે સંપર્ક કરવો મોરબીમાં ઘરેથી ઝેરોક્ષ કરાવવા જવાનું કહીને નિકળેલ યુવતી ગુમ વાંકાનેરમાં મુખ્ય માર્ગો ઉપરના દબાણો હટાવતી પાલિકા વાંકાનેરના ચંદ્રપુરમાં સ્ટાર પ્લાઝાની 240 દુકાનો સીલ : વેપારીઓમાં રોષ,ફાયર સેફટીના અભાવે કાર્યવાહી વાંકાનેરમાં દેવદયા ટ્રસ્ટ દ્વારા ત્રાંસી આંખ માટે નિદાન કેમ્પ યોજાશે મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિના સીવણ કેન્દ્રમાં બહેનોને પ્રમાણપત્ર એનાયત કર્યા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ડેમી-૨ ડેમ થકી કાલે સૌની યોજના અંતર્ગત ચેકડેમ અને ડેમી-૩ ડેમમાં પાણી ભરાશે


SHARE







મોરબી જિલ્લાના ડેમી-૨ ડેમ થકી કાલે સૌની યોજના અંતર્ગત ચેકડેમ અને ડેમી-૩ ડેમમાં પાણી ભરાશે

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં નસીપર ગામ પાસે આવેલ ડેમી -૨ ડેમમાં સૌની યોજના અંતર્ગત ભરવામાં આવેલ જથ્થામાંથી સિંચાઈ માટે ચેકડેમ અને ડેમી-૩ ડેમ સુધી પાણી આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને ડેમી -૨ ના ૬ દરવાજને બે ફૂટ સુધી ખોલીને ડેમી -૩ સુધી પાણી પહોચડવામાં આસવ્હે જેથી કરીને ડેમી -૨ ના નીચેના વિસ્તારમાં કાલે સવારે ૭:૩૦ પછી ન જવા માટે લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે

ટંકારા તાલુકાના નસીપર ગામ પાસે આવેલ ડેમી -૨ સિંચાઈ યોજનાના સેક્શન ઓફિસર દ્વારા ડેમી -૨ ની નીચેના વિસ્તારમાં આવતા નસીપર, નાના રામપર, મોટા રામપર, ચાચાપર, ખાનપર, કોલી, ધુળકોટ, આમરણ, બેલા તેમજ માવનુ ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે કેમકે, સૌની યોજનાનું મંજૂર થયેલ પાણી ડેમી -૨ ડેમમાં આવી ગયું છે ત્યારે આ જળ જથ્થામાંથી ડેમી -૩ અને ચેકડેમોમાં સિંચાઇ માટે પાણી ભરવાનુ છે જેથી ડેમી -૨ ની નીચેના ભાગમાં આવેલ ગામોના લોકોને તા. ૪/૪ ના રોજ સવારે સવારે સાડા સાત વાગ્યા પછી નદીના પટમાં ન જવા માટેની સૂચના આપવામાં આવી છે કે,ડેમના છ દરવાજા બે ફૂટ સુધી ખોલીને પાણીને ડેમી નદીમાં છોડવામાં આવશે






Latest News