મોરબી જિલ્લાના ડેમી-૨ ડેમ થકી કાલે સૌની યોજના અંતર્ગત ચેકડેમ અને ડેમી-૩ ડેમમાં પાણી ભરાશે
મોરબીની શ્રી સજનપર પ્રા.શાળાનું પ્રાથમિક શિષ્યવૃત્તિ પરિક્ષા અને એનએમએમએસ પરિક્ષામાં સર્વશ્રેષ્ઠ પરિણામ
SHARE
મોરબીની શ્રી સજનપર પ્રા.શાળાનું પ્રાથમિક શિષ્યવૃત્તિ પરિક્ષા અને એનએમએમએસ પરિક્ષામાં સર્વશ્રેષ્ઠ પરિણામ
તાજેતરમાંમાં લેવાયેલ પીએસઇ પરિક્ષામાં શાળાના કુલ ૧૩ વિદ્યાર્થીઓમાંથી ૧૨ વિદ્યાર્થીઓ પાસ થયેલ છે જેમાં ૧૬૮ માર્ક સાથે રાણીપા ગર્વ જયંતીલાલ પ્રથમ નંબરે અને ૧૫૧ ગુણ સાથે રૈયાણી હીનેશ નંદલાલભાઈ અને રૈયાણી ઉત્સવ મહેશભાઈ દ્વિતીય નંબર મેળવેલ છે તેમજ અન્ય વિદ્યાર્થીઓએ પણ ખૂબ જ સારા ગુણ મેળવી પાસ થયેલ છે.જયારે એનએમએમએસ પરીક્ષામાં પણ શાળાના કુલ ૧૫ વિદ્યાર્થીઓમાંથી ૧૪ વિદ્યાર્થીઓ પાસ થયેલ છે તેમજ એક વિદ્યાર્થી બામણીયા વીનો રમેશભાઈએ રાજ્યના મેરિટમાં સ્થાન મેળવેલ છે આ વિદ્યાર્થીને સરકારશ તરફથી ધો.૯ થી ૧૨ દરમિયાન રૂા.૪૮,૦૦૦ જેવી શિષ્યવૃત્તિની સહાય મળશે.આ બંને પરીક્ષામાં બાળકોને તૈયારી કરાવનાર શિક્ષિકા બહેન દેત્રોજા ભારતીબેન પી. તેમજ તેમને સહકાર આપનાર તમામ સ્ટાફ મિત્રોને તેમજ બંને પરીક્ષામાં સફળતા મેળવેલ તમામ વિદ્યાર્થીઓને શાળના આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ અભિનંદન પાઠવાયા હતા.