હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાંથી ચોરી કરાયેલ બાઈક ખરીદનાર અમદાવાદી શખ્સની ધરપકડ


SHARE

















મોરબી તાલુકામાંથી ચોરી કરાયેલ બાઈક ખરીદનાર અમદાવાદી શખ્સની ધરપકડ

 મોરબી તાલુકાનાં લાલપર ગામ પાસેથી થોડા દિવસો પહેલા બાઇક લઈને પસાર થતાં બે યુવાનને રોકીને તાલુકા પોલીસની ટીમે તેની પાસે બાઈકના કાગળો માગ્યા હતા ત્યારે આ શ્ખ્સોએ બે ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી આ શખ્સો પાસેથી ચોરાઉ બાઇકની ખરીદી કરનારા એક અમદાવાદનાં શખ્સની પોલીસે હાલમાં ધરપકડ કરેલ છે

મોરબી નજીકના નીચી માંડલ ગામ પાસે આવેલો નોકેન સિરામિકની સામે પાર્ક કરવામાં આવેલ બાઇક નંબર જીજે ૩ ડીબી ૯૪૮૨ ને કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ હતા જેથી કરીને ધર્મેન્દ્રભાઈ  રામજીભાઇ દેત્રોજા જાતે પટેલ (ઉંમર ૪૦) રહે નીચીમાંડલ વાળાએ તેઓનું ૨૫ હજાર રૂપિયાની કિંમતનું બાઈક ચોરી થઇ ગયુ હોવા અંગેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી દરમ્યાન લાલપર ગામ પાસેથી પસાર થતાં ડબલ સવારી બાઇકને રોકીને તેની પાસે બાઈકના કાગળો માંગવામાં આવ્યા હતા ત્યારે બાઇક નંબર જીજે ૧ ઈવાય ૫૨૩૪ બોટાદથી ચોરી કર્યું હોવાની કબૂલાત આપી હતી માટે આરોપી દિપક લક્ષ્મણ સોખરીયા (૨૨) અને જયદીપ લક્ષ્મણ સોખરીયા (૨૦) રહે, બંને અમદાવાદ વાળાની ધરપકડ કરી હતી અને તેની વધુ પૂછપરછમાં નીચી માંડલ પાસેથી બાઇક નંબર જીજે ૩ ડીબી ૯૪૮૨ ની પણ ચોરી કરી હોવાની કબૂલાત કર્યું હતું આ ગુનામાં નીચી માંડલ પાસેથી  જે બાઈકની ચોરી કરવામાં આવી હતી તે ચોરાઉ બાઈકની રમકેશ ભૈયાનભાઈ ગુપ્તા તૈલી જાતે ઘાંચી (૨૫) રહે. ગોકુલધામ શેરી-૩, બચુભાઈના કૂવા પાસે વટવા જીઆઈડીસી મૂળ રહે. દેવભરિયા યુપી વાળાની ધરપકડ કરેલ છે.

યમુનાનગર વિસ્તારમાં મારામારી
 
મોરબીના નવલખી રોડ ઉપર આવેલા યમુનાનગર વિસ્તારમાં રણછોડનગર પાસે આવેલા હનુમાન મંદિર પાસે બોલાવીને યુવાનને માર મારવામાં આવ્યો હતો. સીટી બી ડિવિજન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે લાલચંદભાઈ જેસાભાઈ યાદવ (ઉમર ૨૮) રહે.વાવડી રોડ વાળાને તેના મિત્રએ યમુનાનગરમાં બોલાવ્યો હતો જ્યાં હાજર શક્તિસિંહ નામના વ્યક્તિએ "કેમ વારંવાર પૈસાની માગણી કરે છે..?" તેમ કહીને લાલચંદભાઈ યાદવને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી તેને સારવારમાં ખસેડાયો હતો બનાવની જાણ થતાં બી ડિવિઝન પોલીસ મથકના પી.જે.પરમારે આગળની તપાસ હાથ ધરી છે.
 
વાહન અકસ્માતમાં ઈજા
 
મોરબી તાલુકાના જીવાપર ગામનો હસમુખભાઈ કાનજીભાઈ હડિયલ નામનો ૩૭ વર્ષીય યુવાન બાઇક લઇને નવલખી રોડ ઉપર ખાખરળા ગામ તરફ જતો હતો ત્યાં રસ્તામાં તેનું બાઇક સ્લીપ થઇ જતા ઇજાગ્રસ્ત થયેલા હસમુખભાઈને સારવારમાં ખસેડાયો હતો બનાવને પગલે તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઇ એન.જે.ખડીયાએ આગળની તપાસ હાથ ધરી છે.
 



Latest News