મોરબીના ભક્તિનગર સર્કલે બનેલ ઓવરબ્રિજને માજી ધારાસભ્યનું નામ આપવાની માંગ
SHARE
મોરબીના ભક્તિનગર સર્કલે બનેલ ઓવરબ્રિજને માજી ધારાસભ્યનું નામ આપવાની માંગ
મોરબીના શનાળા રોડે ભક્તિનગર સર્કલ પાસે તાજેતરમાં જે ઓવરબ્રિજ બનાવવા આવેલ છે તેને મોરબી માળીયા વિધાનસભા માજી ધારાસભ્યનું નામ આપવામાં આવે તેવી મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે
મોરબી વૈઘ સભાના પ્રમુખ ડો. બી.કે. લહેરૂએ મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીમાં શનાળા રોડ ઉપર આવેલ ભક્તિનગર સર્કલ પાસે તાજેતરમાં ઓવરબ્રિજ બનાવવામાં આવેલ છે જે ઓવરબ્રિજને હજુ સુધી કોઈ નામ આપવામાં આવ્યું નથી જેથી કરીને આ ઓવરબ્રિજને મોરબી માળીયાના માજી ધારાસભ્ય સ્વ. ગોકળદાસ પરમારનું નામ આપવામાં આવે તેવી રજૂઆત કરેલ છે વધુમાં તેઓએ જણાવ્યુ છે કે, સ્વ. ગોકળદાસ બાપાએ મોરબી અને માળીયા તાલુકાનાં લોકોની સેવા કરી છે અને ખાદી ઉદ્યોગ માટે પણ તેઓએ ઘણી સારી કામગીરી કરેલ છે ત્યારે તેના નામે ઓવરબ્રિજનું નામકરણ કરવામાં આવે તેવી લાગણી કરેલ છે