મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબીના ભક્તિનગર સર્કલે બનેલ ઓવરબ્રિજને માજી ધારાસભ્યનું નામ આપવાની માંગ


SHARE









મોરબીના ભક્તિનગર સર્કલે બનેલ ઓવરબ્રિજને માજી ધારાસભ્યનું નામ આપવાની માંગ

મોરબીના શનાળા રોડે ભક્તિનગર સર્કલ પાસે તાજેતરમાં જે ઓવરબ્રિજ બનાવવા આવેલ છે તેને મોરબી માળીયા વિધાનસભા માજી ધારાસભ્યનું નામ આપવામાં આવે તેવી મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે

મોરબી વૈઘ સભાના પ્રમુખ ડો. બી.કે. લહેરૂએ મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીમાં શનાળા રોડ ઉપર આવેલ ભક્તિનગર સર્કલ પાસે તાજેતરમાં ઓવરબ્રિજ બનાવવામાં આવેલ છે જે ઓવરબ્રિજને હજુ સુધી કોઈ નામ આપવામાં આવ્યું નથી જેથી કરીને આ ઓવરબ્રિજને મોરબી માળીયાના માજી ધારાસભ્ય સ્વ. ગોકળદાસ પરમારનું નામ આપવામાં આવે તેવી રજૂઆત કરેલ છે વધુમાં તેઓએ જણાવ્યુ છે કે, સ્વ. ગોકળદાસ બાપાએ મોરબી અને માળીયા તાલુકાનાં લોકોની સેવા કરી છે અને ખાદી ઉદ્યોગ માટે પણ તેઓએ ઘણી સારી કામગીરી કરેલ છે ત્યારે તેના નામે ઓવરબ્રિજનું નામકરણ કરવામાં આવે તેવી લાગણી કરેલ છે






Latest News