મોરબીના ભક્તિનગર સર્કલે બનેલ ઓવરબ્રિજને માજી ધારાસભ્યનું નામ આપવાની માંગ
મોરબીના લાલપર ગામ પાસે બિનવારસીની જેમ રહેતા યુવાનનું પરિવાર સાથે મિલન કરાવ્યુ
SHARE
મોરબીના લાલપર ગામ પાસે બિનવારસીની જેમ રહેતા યુવાનનું પરિવાર સાથે મિલન કરાવ્યુ
મોરબી તાલુકાનાં લાલપર ગામ પાસે કેનાલ નજીક છેલ્લા આઠેક મહિનાથી એક યુવાન બિનવારસીની જેમ હતો જેની લાલપર ગામના લકીભાઈ વીંધણીનો ફોન કૌશલભાઈ મહેતાને આવ્યો હતો જેથી કરીને કૌશલ એ. મહેતા, રાજુભાઈ દવે, મુસાભાઈ બ્લોચ, વિજયભાઈ સીસોદીયા, લકીભાઈ વિધાણી અને વિજયભાઈ રાઠોડ ત્યાં પહોચ્યા હતા છેલ્લા આઠ મહિનાથી ત્યાં રહેતા નિલેશભાઈને મળીને તેની સાથે વાતચીત કરી હતી અને ત્યાર બાદ તે ઘણા સમયથી ન્હાયા ધોયા વગર હોવાથી પહેલા તેને સાફ કરીને સારા કપડા પહેરાવીને તેની વધુ પૂછપરછ કરી હતી ત્યારે તેનું નામ નિલેશભાઈ મેર હોવાનું સામે આવ્યું હતુ અને તે ચોટીલા પાસે બામણબોર ગામે રહેતો હોવાનું સામે આવતા ત્યાં જઈને નિલેષભાઈનો તેના પરિવાર સાથે મિલન કરાવ્યુ છે