મોરબીના શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ મોરબી: ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની કેદ, ડબલ રકમ ચુકવવા હુકમ મોરબીમાં નોંધાયેલા સાઈબર ક્રાઈમના ગુનાના આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં ચેક રીર્ટન કેસમાં એક વર્ષની કેદ-બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ મોરબી નજીક યુવાનની નિર્મમ હત્યા કરવાના બનાવમાં હોથલ ફાયનાન્સ વાળા શિવમ રબારી સહિત 6 સામે ફરિયાદ: આરોપીઓ પોલીસની હાથવેંતમાં મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત મોરબીમાં રહેતા આધેડના મોબાઇલમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાંની સાથે જ બેન્ક એકાઉન્ટમાંથી 3 લાખ ઉપાડી ગયા
Breaking news
Morbi Today

મોરબીમાં પતિ સાથે ઝઘડો થયા બાદ ગુમ થઈ ગયેલ મહિલાની મળી આવી


SHARE













મોરબીમાં પતિ સાથે ઝઘડો થયા બાદ ગુમ થઈ ગયેલ મહિલાની મળી આવી

હાલ મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં રહેતા અને મૂળ વઢવાણના રહેવાસી યુવાનના પત્ની ઘરેથી ચાલ્યા ગયા હતા અને એકાદ માસ બાદ પરિણીતાની ભાળ મળતા હાલ પોલીસે આ અંગે રાબેતા મુજબની આગળની તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગતો મુજબ સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે ૮૦ ફૂટ રોડ ઉપર આવેલ શ્રીજીનગર વિસ્તારના રહેવાસી અને હાલ મોરબીના વીસીપરાના રોહીદાસપરામાં રહેતા મુકેશ અમરાભાઇ ડાભીના પત્ની મધુબેન (ઉંમર વર્ષ ૩૬) ગત તા.૬-૩ ના રોજ ઘરેથી કોઈને કંઈ કહ્યા વગર ચાલ્યા ગયા હતા અને તે અંગે પોલીસમાં જાણ કરવામાં આવી હતી પોલીસ તપાસ ચલાવી રહી હતી દરમિયાનમાં ગત તા.૪-૪ ના રોજ ગુમ થયેલા મધુબેન મુકેશભાઈ અમરાભાઇ ડાભીની ભાળ મળી હતી અને તેઓ ઘરે પરત આવી ગયા હતા અને મધુબેને પહેલા સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મુકવામાં આવ્યા હતા.બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મછકના વી.ડી.મહેતા દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તેમાં ખુલ્યુ હતું કે પતિ સાથે ઝઘડો થતો હોય તે બાબતનું મનમાં લાગી આવતા પ્રથમ પોતાના માવતરને ત્યાં અને બાદમાં સુરતની કોઈ સંસ્થા ખાતે રહેવા ચાલ્યા ગયા હતા હાલ પોલીસે તેઓનું ઉપર મુજબનું નિવેદન નોંધાવીને આગળની વધુ તપાસ હાથ ધરી છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના માળીયા હાઇવે ઉપર આવેલ કાવેરી સીરામીક શક્તિનગર વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો.આ સામસામી મારામારીમાં ચેતન ભાવસિંગ નકુમ (ઉંમર ૩૦) અને સામેવાળા ચેતન મનસુખભાઇ માંગણીયા (ઉમર ૪૨) ને ઈજા થતા બંનેને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે લવાયા હતા બાદમાં બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા આ મારામારીના બનાવ અંગે આગળની તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.

આધેડનું મોત

મૂળ મોટાભેલા ગામના વતની અને હાલ મોરબીના સામાકાંઠે મહાવીર સોસાયટી પાસેની ધર્મસિધ્ધી સોસાયટીમાં રહેતા હિતેશભાઈ નર્મદાશંકરભાઈ વ્યાસ (૪૯) ને તેમના ઘેર છાતીમાં હૃદયરોગનો હુમલો આવી જતા બેભાન હાલતમાં અહિંની સિવિલે લઈ જવાયા હતા જ્યાં ફરજ ઉપરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા અને બનાવની જાણ કરતાં હાલ બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News