મોરબીના મુનનગરમાં લીમડાવાળા મામદેવ મંદિરે તૃતીય પાટોત્સવ યોજાશે
મોરબીના માધાપરમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન
SHARE
મોરબીના માધાપરમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન
મોરબીમાં આવેલ માધાપર શેરી-૧૮ માં શ્રીમદ ભાગવત સપ્તાહનું આગમી ૧૪મી એપ્રિલથી આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે કથાનું રસપાન અને પ્રસાદનો લાભ લેવા માટે હડીયલ પરિવાર દ્વારા જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે
મોરબીમાં માધાપર શેરી-૧૮ માં ગોમતીબેન ડાયાલાલ હડિયલ અને તેના પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જે કથાનું શાસ્ત્રી નિખીલભાઈ જોશી દ્વારા તેની આગવી શૈલીમાં શ્રોતાઓને રસપાન કરાવવામાં આવશે આ કથા તા ૧૪ થી ૨૦ દરમ્યાન યોજાશે અને સવારે ૯ થી ૧૨ તેમજ બપોરે ૩ થી ૬ સુધી લોકોને કથા રસપાનનો લાભ મળશે અને દરરોજ બપોરે ૧૨ કલાકે રામજી મંદિરની પાછળના ભાગમાં આવેલ સતવારા સમાજની વાડીએ મહાપ્રસાદ રાખવામા આવેલ છે વધુમાં માહિતી આપતા આયોજકોએ જણાવ્યુ હતું કે, તા ૧૪ ના રોજ રામજી મંદિરથી પોથીયાત્રા, તા ૧૫ ના કપીલ ભગવાનનું પ્રાગટય, તા ૧૬ ના સતી ચરિત્ર, નૃસિંહ અવતાર, તા ૧૭ ના ૧૨ કલાકે વામન જન્મ અને ૪ કલાકે રામ જન્મ અને સાંજે ૬ કલાકે કૃષ્ણ જન્મ યોજાશે તા ૧૯ ના સાંજે ૬ કલાકે રૂક્ષ્મણી વિવાહ યોજાશે









