મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબીના લુંટાવદર ગામે જુગાર રમતા પાંચ જુગારી પકડાયા


SHARE















મોરબીના લુંટાવદર ગામે જુગાર રમતા પાંચ જુગારી પકડાયા

મોરબી તાલુકાના લુટાવદર ગામે આવેલ રાજપૂત સમાજની વાડીની સામેના ભાગમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા પાંચ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૩૩૧૦ રૂપિયાની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લુટાવદર ગામે રાજપૂત સમાજની વાડી પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી સ્થાનિક પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જયુભા જીલુભા જાડેજા (૫૦), રાજેન્દ્રસિંહ હનુભા જાડેજા (૪૩), ભુદરભાઇ લાલજીભાઈ સુરાણી (૬૨), હરેશભાઈ રવજીભાઈ સુરાણી (૫૦) અને અજયસિંહ કનકસિંહ પરમાર (૪૦) જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૩૩૧૦ ની રોકડ કબજે કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વાહન અકસ્માતમાં બે ને ઇજા

મોરબીના માળીયા હાઇવે ઉપર ભરતનગર ગામની પાસે રહેતા બુધારામ રૂપારામ (ઉમર ૨૫) અને રેવતારામ સેરારામ (ઉમર ૨૯) નામના બે યુવાનો માળીયા હાઇવે ઉપર ભરતનગર ગામના પાટીયા પાસેથી બાઈકમાં ડબલ સવારીમાં જતા હતા ત્યારે ત્યાં આવેલા કેસર હોલના સામે અકસ્માતે તેઓનું બાઈક સ્લીપ થઈ જતા તેમને ઇજા થતા બંનેને સાગર હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ આવ્યા હતા જેથી હાલ તાલુકા પોલીસ મથકના એમ.એલ. બારૈયા દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે. જ્યારે સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકાના સીતાપર ગામના પાટીયા પાસે રહેતા હિરલબેન બાબુભાઈ ભરવાડ નામની બાર વર્ષની સગીરાને મોરબીના વાંકાનેર હાઇવે ઉપર પ્રેમજીનગર (મકનસર) પાસે બાઈક સ્લીપ થઈ જવાના અકસ્માત બનાવમાં ઉજાઓ થતા તેણીને અત્રે આયુષ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવી હતી જેને પગલે બનાવ સંદર્ભે જાણ થયેલી હોય હાલ મોરબી તાલુકા પોલીસ મથકના એ.એમ.જાપડીયા આ અંગે આગળની તપાસ ચલાવી રહ્યા છે.






Latest News