મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબીના ખાનપર ગામે માતાએ કામ બાબતે ઠપકો આપતા દીકરીએ કર્યો આપઘાત


SHARE















મોરબીના ખાનપર ગામે માતાએ કામ બાબતે ઠપકો આપતા દીકરીએ કર્યો આપઘાત

મોરબી નજીકના ખાનપર ગામની સીમમાં વાડીએ રહીને ખેતીમાં મજૂરી કામ કરતાં પરિવારની ૧૪ વર્ષની દીકરીને તેની માતાએ ઘરકામ બાબતે ઠપકો આપ્યો હતો જેથી કરીને તેને લાગી આવતા તેણીએ ઝાડ સાથે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો ત્યાર બાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મૂળ દાહોદના ધાનપુર તાલુકાનાં રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના ખાનપર ગામની સીમમાં રમેશભાઈ ભવાનભાઈની વાડીએ રહીને ખેતીમાં મજૂરી કામ કરતા જવલાભાઈ પરમારની ૧૪ વર્ષની દીકરી વનીતાબેને ઝાડ સાથે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની મોરબી સિવિલ હોસ્પિટલ દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ કરી રહેલા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ એન.જે.ખડીયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મૃતક વનિતાબેન પરમારને તેની માતાએ ઘરકામ બાબતે ઠપકો આપ્યો હતો જેથી કરીને તેણીને લાગી આવતા તેણે પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે તેવું તેના પરિવારજનો કહી રહ્યા છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના સામાકાંઠે ત્રાજપર પાછળ આવેલ અંબિકા સોસાયટીમાં રહેતો શંકરભાઈ ગાંડુભાઇ પાટડિયા (ઉમર ૩૨) નામનો યુવાન મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડી પાસે રાત્રીના નવેક વાગ્યે બાઈક સ્લીપ થઈ જવાના બનેલ અકસ્માત બનાવમાં ઈજાઓ થવાથી અત્રેની આયુષ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો બનાવ અંગે જાણ થતાં હાલ બી ડિવિઝન પોલીસ મથકના વી.કે.ચાવડાએ આ અંગે આગળની તપાસ ચલાવી રહ્યા છે. જયારે મોરબીના સોખડા ગામ પાસે બાઈક સ્લીપ થઈ જતા વાહન અકસ્માતના બનાવમાં હળવદના ચરાડવા ગામે રહેતા બકુલભાઇ લાભશંકરભાઈ મહેતા નામના ૪૮ વર્ષના યુવાનને ઇજાઓ થતા તેમને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા બનાવ સંદર્ભે સારવાર કર્યા બાદ હોસ્પિટલ દ્વારા પોલીસને જાણ કરાતા હાલ તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા આ અકસ્માત બનાવની આગળની તપાસ ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે.






Latest News