વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં દારૂ-બિયરની બે અને જુગારની બે રેડ મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ
Breaking news
Morbi Today

સુરેન્દ્રનગરના બનાવટી ચલણી નોટોના બે ગુન્હામાં નાસતા ફરતા આરોપીને મોરબીમાંથી દબોચ્યો


SHARE















સુરેન્દ્રનગરના બનાવટી ચલણી નોટોના બે ગુન્હામાં નાસતા ફરતા આરોપીને મોરબીમાંથી દબોચ્યો

સુરેન્દ્રનગર જિલ્લાના બનાવટી ચલણી નોટોના બે ગુન્હામાં છેલ્લા દસ માસથી નાસતા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી દરમ્યાન મોરબી સામાકાંઠે કેસરબાગમાંથી એસ.ઓ.જી.ની ટીમ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે

રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપવામાં આવી હતી દરમ્યાન જિલ્લા એસઓજીના પીઆઇ એમ.પી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ ટિમ દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે જુવાનસિંહ ભરતસિંહ રાણા તથા આશિકુભાઇ રહીમભાઇ રાઉમાને સંયુકત ખાનગી રાહે બાતમી હકીકત મળેલ હતી કે, સુરેન્દ્રનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૨ માં ચલણી નોટોના બે ગુન્હા નોંધાયેલ છે તે બન્ને ગુન્હાના કામે આરોપી યુનીશ અલીમહંમદભાઇ ભટ્ટી જાતે મીયાણા (૪૫) રહે. કાજરડા તાલુકો માળીયા વાળો આ ગુન્હામાં નાસતો ફરે છે અને તે હાલમાં મોરબીમાં કેશરબાગ પાસે હોવાની માહિતી હતી જેથી ત્યાંથી તેને પકડી લેવામાં આવ્યો હતો અને આરોપીને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોપેલ હતો આ કામગીરી પીઆઇ એમ.પી.પંડ્યાની સૂચના મુજબ રસીકભાઇ કડીવાર, જુવાનસિંહ રાણા, મુકેશભાઇ જોગરાજીયા, મહાવિરસિંહ પરમાર, સતીષભાઇ ગરચર, આશિકભાઇ રાઉમા, ભાવેશભાઇ મીંયાત્રા, કમલેશભાઇ ખાંભલીયા, સામતભાઇ છુછીયા, અંકુરભાઇ ચર્ચાયુ, અશ્વિનભાઇ લોખીલ વિગેરેએ કરી હતી

યુવાન સારવારમાં
મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ કોચલની વાડી ખાતે રહેતા હસમુખભાઈ મેઘજીભાઈ ચાવડા નામના ૩૮ વર્ષના યુવાનને રોડ અકસ્માતમાં ઇજા તથા સારવાર માટે આસ્થા હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જાણવા મળતી વિગત મુજબ પંચાસર રોડ ઉપર આવેલ પ્રાથમિક શાળા પાસેથી તે બાઈક લઈને જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઈક સ્લીપ થઈ જતા તેને ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને હાલ એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ. ચાવડા આ અંગે આગળની તપાસ ચલાવી રહ્યા છે.






Latest News