સુરેન્દ્રનગરના બનાવટી ચલણી નોટોના બે ગુન્હામાં નાસતા ફરતા આરોપીને મોરબીમાંથી દબોચ્યો
મોરબીના મહેન્દ્રનગર ગામના માજી સરપંચના સ્મરણાર્થે આજે ચકલીઘર-પાણીના કુંડાનું વિતરણ
SHARE
મોરબીના મહેન્દ્રનગર ગામના માજી સરપંચના સ્મરણાર્થે આજે ચકલીઘર-પાણીના કુંડાનું વિતરણ
મોરબી નજીકના મહેન્દ્રનગર ગામના માજી સરપંચ સ્વ.અશ્વિનભાઈ બોપલિયાની બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આજે મહેન્દ્રનગર ચોકડીએ ચકલીઘર અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યુ હતું ત્યારે મોરબી સિરામિક એસો. ના પ્રમુખ હરેશભાઈ બોપલિયા, કેતન અશ્વિનભાઈ બોપલિયા, મહેશભાઈ બોપલિયા, રૉબિનભાઈ બોપલીયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, મોરબીના મહેન્દ્રનગરના વરિષ્ઠ આગેવાન તેમજ સેવાકીય કાર્યો હરહમેશ મોખરે રહેતા મહેન્દ્રનગર ગામના માજી સરપંચ સ્વ.અશ્વિનભાઈ બોપલિયાની આજે દ્રિતીય વાર્ષીક પુણ્યતીથી છે ત્યારે મહેન્દ્રનગર ચોકડીએ ઉમા ફર્નિચર નીચે મારુતિ ડેવલોપર્સ (અશ્વિનભાઈ ની ઓફિસ) ખાતે સવારે ૮ થી લઈને ૧૧ વાગ્યા સુધીમાં ૬૦૦૦ ચકલીઘર તથા ૩૦૦૦ પાણીના કુંડાનું વિના મુલ્યે વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે