કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષને મળેલ ધમકી મામલે કાલે મોરબીમાં કોંગ્રેસ એસપીને કરશે રજુઆત
મોરબીના મહેન્દ્રનગર ગામે પાણીની સમસ્યા દૂર કરવા મંત્રીને જાનકીબેન કૈલાએ કરી રજુઆત
SHARE
મોરબીના મહેન્દ્રનગર ગામે પાણીની સમસ્યા દૂર કરવા મંત્રીને જાનકીબેન કૈલાએ કરી રજુઆત
મોરબીના મહેન્દ્રનગર ગામે પાણીની સમસ્યા છે જેને ઉકેલવા માટે મોરબી જિલ્લા પંચાયતના મહિલા ઉપપ્રમુખ દ્વારા રાજ્યના પાણી પુરવઠા મંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે તેમાં જણાવ્યુ છે કે એક લાખની વસ્તી પાણી માટે તરસી રહી છે જેથી પાણીની સમસ્યા તાકીદે દૂર કરવામાં આવે તે જરૂરી છે
મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન જિજ્ઞેશભાઈ કૈલાએ રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને લેખિતમાં રજુઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મહેન્દ્રનગર અને આજુબાજુના વિસ્તારોમાં પાણીની મોટી સમસ્યા છે. હીને હલ કરવા માટે સરકાર દ્વારા નવી પાણી પુરવઠાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. જો કે, હજુ સુધી પાણી પુરવઠાની યોજના ચાલુ કરવામાં આવી નથી. જેથી કરીને મહેન્દ્રનગર અને આસપાસના લોકોને પાણી માટે હેરાન થવું પડે છે જેથી કરીને પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં આવે તેવી માંગ કરી છે









