મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે પાણીની સમસ્યા દૂર કરવા મંત્રીને જાનકીબેન કૈલાએ કરી રજુઆત


SHARE





મોરબીના મહેન્દ્રનગર ગામે પાણીની સમસ્યા દૂર કરવા મંત્રીને જાનકીબેન કૈલાએ કરી રજુઆત

મોરબીના મહેન્દ્રનગર ગામે પાણીની સમસ્યા છે જેને ઉકેલવા માટે મોરબી જિલ્લા પંચાયતના મહિલા ઉપપ્રમુખ દ્વારા રાજ્યના પાણી પુરવઠા મંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે તેમાં જણાવ્યુ છે કે એક લાખની વસ્તી પાણી માટે તરસી રહી છે જેથી પાણીની સમસ્યા તાકીદે દૂર કરવામાં આવે તે જરૂરી છે

મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન જિજ્ઞેશભાઈ કૈલાએ રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને લેખિતમાં રજુઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મહેન્દ્રનગર અને આજુબાજુના વિસ્તારોમાં પાણીની મોટી સમસ્યા છે. હીને હલ કરવા માટે સરકાર દ્વારા નવી પાણી પુરવઠાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. જો કે, હજુ સુધી પાણી પુરવઠાની યોજના ચાલુ કરવામાં આવી નથી. જેથી કરીને મહેન્દ્રનગર અને આસપાસના લોકોને પાણી માટે હેરાન થવું પડે છે જેથી કરીને પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં આવે તેવી માંગ કરી છે 




Latest News