મોરબીના મહેન્દ્રનગર ગામે પાણીની સમસ્યા દૂર કરવા મંત્રીને જાનકીબેન કૈલાએ કરી રજુઆત
મોરબીમાં આઠ મહિના પહેલા થયેલ ચોરીના ગુનામાં વધુ એક આરોપી ઝડપાયો
SHARE
મોરબીમાં આઠ મહિના પહેલા થયેલ ચોરીના ગુનામાં વધુ એક આરોપી ઝડપાયો
મોરબીમાં ૮ મહિના પહેલા થયેલ ચોરીના ગુનામાં પાંચ આરોપી પકડાયા હતા એક આરોપીને પકડવાનો બાકી હતો જે ૮ મહિનાથી નાસ્તો ફરતો આરોપીને સુરતના વરાછા ખાતેથી આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે
મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના કરવામાં આવેલી હોય ડીવાયએસપી પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એચ.એ. જાડેજાએ મોરબી સીટીમા બનતા મિલ્કત સંબંધી બનાવો અટકાવવા તેમજ નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા સ્ટાફને સુચના આપેલ હતી દરમિયાનમા ગત તા.૩૦-૮-૨૨ ના રોજ રાત્રીના મોરબી શનાળા રોડ ઉપર સમયના ગેઇટ પાસે આવેલ “બજરંગ સેલ્સ એજન્સી" નામની દુકાનના તાળા રાત્રીના સમયે કોઇ અજાણ્યા ચોર ઇસમે તોડી દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાંથી પાનબીડી, સીંગારેટ, ગુટખા, સોપારી તથા સાબુ-સેમ્પુ વિગેરે મળી કુલ રૂા. ૧,૫૪,૫૦૦ ના માલમત્તાની ચોરી કરી હોવાની ફરીયાદ દુકાનદાર અમીતભાઇ મગનભાઇ અંબાણી રહે.મોરબી વાળાએ કરેલ હતી. ચોરીના આ બનાવમા કુલ પાંચ આરોપીઓની અગાઉ ધરપકડ થયેલ છે અને એક આરોપી છેલ્લા ૮ માસથી નાસતો ફરતો હોય તે આરોપી સુરત વિસ્તારમાં હોવાની બાતમી મળી હતી જેના આધારે એ ડિવિઝનના એએસઆઇ રાજદીપસિંહ રાણા, સિદ્ધરાજસિંહ જાડેજા અને અરજણભાઈ ગરીયાએ ચોરીના ગુનામા ફરાર આરોપી રાજદીપસિંહ દિગ્વિજયસિંહ જાડેજા જાતે દરબાર (૩૮) રહે. મૂળ ભાવનગર વાળાની ધરપકડ કરેલ છે આ આરોપી અગાઉ પણ ચોરીના જુદાજુદા બે ગુનામાં પકડાયેલ છે









