ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત ​​​​​​​મોરબીમાં પરિણીતાને દુ:ખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેરમાં જવલંતશિલ પદાર્થ ભરેલ કાચ સળગતી બોટલ ફેંકી બે શખ્સ ફરાર: ભયનો માહોલ


SHARE













વાંકાનેરમાં જવલંતશિલ પદાર્થ ભરેલ કાચ સળગતી બોટલ ફેંકી બે શખ્સ ફરાર: ભયનો માહોલ

વાંકાનેરની અમરનાથ સોસાયટીમાં બે બાઈક સવાર શખ્સ જોવા મળ્યા હતા જેથી તેની તરફ જય રહેલા યુવાનને રોકવા માટે તેના દ્વારા પેટ્રોલ ભરેલી કાચની બોટલો ફેંકવામાં આવી હતી જો કે, જવલંતશિલ પદાર્થ ભરેલ કાચ સળગતી બોટલ ફેંકીને આ બંને શખ્સો નાસી છૂટયા હતા ત્યાર બાદ યુવાને બૂમા બૂમ કરતાં આસપાસના લોકો જાગી ગયા હતા અને બાઇક લઈને નાશી ગયેલા શખ્સોને શોધવા માટેની કવાયત શરૂ કરવામાં આવી હતી જો કે, તેનો કોઈ પત્તો ન લગતા અંગે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને બે અજાણ્યા શખ્સોની સામે ગુનો નોંધીને હાલમાં પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલી અમરનાથ સોસાયટીમાં મંગવારે વહેલી સવારે ત્રણ વાગ્યે બાઇક લઈને બે અજાણ્યા શખ્સો ત્યાં આવ્યા હતા અને ત્યારે જાગી ગયેલ યુવાન ગેલાભાઇ મૈયાભાઇ મુંધવા જાતે ભરવાડ (૪૫) તેના તરફ આગળ જતાં તેને રોકવા માટે આ શખ્સો દ્વારા તેની પાસે રહેલ જવલંતશિલ પદાર્થ ભરેલ કાચની સળગતી બોટલ ફેંકી તે બંને શખ્સો બાઇક લઈને નાશી ગયા હતા જો કે, ગેલાભાઇ મૈયાભાઇ મુંધવાએ બૂમા બૂમ કરી હતી જેથી કૈરને આસપાસના લોકો જાગી ગયા હતા અને બાઇક ઉપર આવીને જવલંતશિલ પદાર્થ ભરેલ કાચની સળગતી બોટલ ફેંકી નાસી ગયેલા શખ્સોને શોધવા માટે તજવીજ શરૂ કરી હતી જો કે તે બંને મળી આવ્યા ન હતા જેથી કરીને હાલમાં ગેલાભાઇ મૈયાભાઇ મુંધવા દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બે અજાણ્યા શખ્સોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇ.પી.સી. કલમ ૩૪૧, ૨૮૫, ૩૩૬, ૧૧૪ મુજબ ગુનો નોંધીને આરોપીઓને શોધવા માટે તજવીજ શરૂ કરી છે આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસે હાલમાં આરોપીઓ સુધી પહોચવા માટે ઘટના સ્થળની આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ લેવા માટેની તજવીજ શરૂ કરી છે






Latest News