માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબીમાં સનાળા રોડે રજની પ્લાઝા નજીક યુવાનને ચારથી પાંચ શખ્સોએ છરીના ઘા ઝીકયા


SHARE













મોરબીમાં સનાળા રોડે રજની પ્લાઝા નજીક યુવાનને ચારથી પાંચ શખ્સોએ છરીના ઘા ઝીકયા

મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ જીઆઇડીસી પાસે રજની પ્લાઝા નજીક યુવાનને ચારથી પાંચ શખ્સોએ છરીના ઘા ઝીકયા હતા જેથી કરીને ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ આરાધના સોસાયટીમાં રહેતા વિપુલ પ્રવીણભાઈ રામાનુજ (૩૩) નામના યુવાનને તે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ જીઆઇડીસી સામે રજની પ્લાઝા પાસે હતો ત્યારે અજાણ્યા ચારથી પાંચ શખ્સોએ ત્યાં આવીને છરીના ચારથી પાંચ ઘા ઝીકિ દીધા હતા જેથી કરીને ગંભીર રીતે ઈજા પામેલા યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર આપ્યા બાદ હોસ્પિટલ મારફતે બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિપુલભાઈ ફૂલતરિયા ચલાવી રહ્યા હોય તેઓની પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે કારને ઓવરટેક કરવા બાબતે બોલાચલી થયા બાદ માથાકૂટ થઈ હતી અને ત્યારબાદ યુવાનને છરીના ઘા મારવામાં આવ્યા છે આ અંગેની પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલ પાટીદાર ટાઉનશીપ નજીક વાહન અકસ્માતમાં બનાવ બન્યો હતો જેમાં ગાંધીધામ ખાતે રહેતા રજતકુમાર મોહનલાલ મુધપરા (૩૨) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી તે ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર માટે ૧૦૮ મારફતે મોરબીની હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ઇજા પામેલા યુવાનને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એમ.એલ. બારૈયા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા હેમીબેન રૂગનાથભાઈ અમૃતિયા (૭૦) નામના વૃદ્ધા બાઈકમાં પાછળના ભાગે બેસીને જેતપર ગામે આવેલ સરકારી દવાખાના પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓ બાઈકમાંથી કોઈ કારણોસર નીચે પડ્યા હતા જેથી કરીને ઈજા પામેલા હેમીબેન અમૃતિયાને તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરમાં આવેલ ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News