વાંકાનેર પાસે વોટર ટ્રીટમેંટ પ્લાન્ટમાં આગ લગતા ૨૮ લાખનું નુકશાન
SHARE
વાંકાનેર પાસે વોટર ટ્રીટમેંટ પ્લાન્ટમાં આગ લગતા ૨૮ લાખનું નુકશાન
મોરબી જિલ્લાના વાંકાનેર પાસે હસનપર નજીક આવેલ પાણી પુરવઠા યોજનાના વોટર ટ્રીટમેંટ પ્લાન્ટમાં મૂકવામાં આવેલ પાઇપના ઢગલામાં સોમવારે બપોરના સમયે આગ લાગી હતી જેથી કરીને પાઇપ આગની ઝપેટમાં આવી ગઈ હતી અને આ આગને કાબુમાં લેવા માટે મોરબી અને વાંકાનેરના ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી અને ત્રણેક કલાકની મહેનત બાદ આ આગ કાબુમાં આવી ગયેલ હતી જો કે, આગ કાબુમાં આવી ત્યાં સુધીમાં ૧૫૦૦ મીટર પાઇપ સળગી જતા અંદાજે ૨૮ લાખનું નુકશાન થયેલ છે તેવું અધિકારી જણાવ્યુ છે