હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતીદેવડી ગામના યુવાનની પ્રેમ પ્રકરણમાં ચોટીલા ખાતે હત્યા


SHARE







વાંકાનેરના રાતીદેવડી ગામના યુવાનની પ્રેમ પ્રકરણમાં ચોટીલા ખાતે હત્યા 

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલા રાતી દેવડી ગામના યુવાનની ચોટીલા પંથકમાં હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે અને પ્રેમ પ્રકરણમાં આ હત્યા કરવામાં આવી હોય પોલીસ દ્વારા આ અંગે આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

વધુમાં જાણવા મળતી વિગતો મુજબ ચોટીલાના મનહરપાર્ક વિસ્તારમાં અવાવરૂ જગ્યામાંથી એક યુવાનની લાશ મળી આવી હતી જેથી ચોટીલા પોલીસે સ્થળ પર જઈને તપાસ કરતા મૃતકના હાથ ઉપર જોશના અને છાતીના ભાગે કમલેશ નામ લખ્યું હોવાનું સામે આવ્યું હતું.પોલીસે મૃતક યુવાનની ઓળખ મેળવવા તજવીજ કરતાં મૃતક વાંકાનેરના રાતીદેવડી ગામનો દેવરાજ બાબુભાઇ વિકાણી (ઉમર ૨૮) હોવાનું ખુલ્યું હતું અને તેની હત્યા થયાનું સામે આવતા પોલીસે હાલ મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડ્યો છે.

હત્યામાં ભોગ બનનાર દેવરાજ વિકાણી પરણીત હતો અને ત્રણ સંતાનનો પિતા હોવાનું સામે આવ્યું છે.ચારેક મહિના પહેલા સાસરીયા પક્ષમાં અદાવત થઈ હતી અને પ્રેમ પ્રકરણના કારણે પણ સાસરીયા પક્ષ સાથે માથાકૂટ થઈ હતી જેથી કાવતરું ઘડી મળવા બોલાવવામાં આવ્યા બાદ હત્યા કરવામાં આવી હોય તેવી પ્રાથમિક વિગતો સામે આવી રહી છે.પોલીસે હાલમાં હત્યાનો ભોગ બનનાર દેવરાજના સસરા વજાભાઈ, સાળા જાદવભાઈ અને રઘુભાઈ તેમજ પાટલા સાસુ સહિતનાઓને પકડીને તેની પૂછપરછ શરૂ કરી હોવાનું સામે આવ્યું છે.

એમપીમાંથી અપરણ કરાયેલ સગીરા મોરબીમાંથી મળી આવી

મોરબી પંથક હાલ ગુનેગારો માટે સ્વર્ગ સમાન બની ગયો હોય તેવો ઘાટ સર્જાયો છે દેશના કોઈપણ ખૂણામાં ગુનો આચરીને મોરબીમાં આશરો લેવો તે હવે સામાન્ય બની ચૂક્યુ હોય તેવી બાબતો અવારનવાર સામે આવી રહી છે.મોરબી પોલીસમાંથી મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાના બાગલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના ગુનાની તપાસમાં ત્યાંના પોલીસ અધિકારી ધર્મેન્દ્ર રાજકુમાર મોરબી આવ્યા હતા અને અહીં મોરબી તાલુકા પોલીસની સાથે રાખીને તપાસ કરવામાં આવતા ત્યાં એમપીના દેવાસ જિલ્લાના બાગલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સગીરાના અપરણના બનાવમાં ભોગ બનેલ સગીરા આરોપી સંદીપ સુમેરસિંહ બછાનાથ રહે.હાલ મોરબી મૂળ રહે.કલવાર તા.કનોજ જીલ્લો દેવાસ મધ્યપ્રદેશ સાથે મળી આવતા હાલ બંનેને પકડીને આગળની તપાસ માટે એમપી લઈ ગયા હોવાનું સામે આવ્યું છે.






Latest News