હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

ભારે કરી: વાંકાનેર તાલુકાનાં શિક્ષણ વિભાગમાં નિવૃત્ત થયેલ શિક્ષકોના રોકડ રજા રૂપાંતરમાં પણ ભ્રષ્ટાચાર !


SHARE













ભારે કરી: વાંકાનેર તાલુકાનાં શિક્ષણ વિભાગમાં નિવૃત્ત થયેલ શિક્ષકોના રોકડ રજા રૂપાંતરમાં પણ ભ્રષ્ટાચાર !

વાંકાનેર શિક્ષણ શાખામાં એક પછી એક ભ્રષ્ટાચાર સામે આવી રહ્યા છે ત્યારે હાલમાં મળી રહેલી માહિતી મુજબ નિવૃત્ત થયેલ શિક્ષકોના રોકડ રજા રૂપાંતરમાં પણ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને તેના કાગળ ઉપરના આધાર પુરાવા છે તો પણ હજુ સુધીમાં અધિકારી કે પદાધિકારીએ દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવેલ નથી.


મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની શિક્ષણ શાખામાં થયેલ ભ્રષ્ટાચારની સમગ્ર જીલ્લામાં ચર્ચા ચાલી રહી છે જો કે, અધિકારી અને પદાધિકારીના પેટના પાણી કેમ હાલતા નથી તે સૌથી મોટો તપાસનો વિષય છે વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૦ દરમ્યાન આચરવામાં આવેલ ઘણા કૌભાંડ સામે આવ્યા છે જો કે, હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યાં વધુ એક ભ્રષ્ટાચારની વિગતો સામે આવી છે, જેમાં નિવૃત શિક્ષકોને નોકરી દરમ્યાન ન ભોગવેલ ૩૦૦ જેટલી રજાનું રોકડ રૂપાંતર નિવૃત સમયે મળતું હોય છે જો કે, ભ્રષ્ટાચારીઓએ એવી કળા કરી કે, જે શિક્ષકો નિવૃત થયા હોય એમનું રજા રોકડ બિલ માર્ચ માસમાં જમા કર્યું અને ત્યારબાદ જૂન માસમાં પણ જમા કર્યું હતુ અને જૂન માસમાં બીજી વખત રજાનું રોકડ બિલ જે જમા કરેલ હોય એ શિક્ષકને બોલાવે અને આ લોકો કહે કે, ભૂલથી બીજી વખત રજાનું રોકડ બિલ જમા થઈ ગયું છે. 

એટલે આવા શિક્ષકોને કહેતા હતા કે, ચેક લખી દો, રકમ લખી દો, સહી કરી દો, રૂપિયા કયા હેડે જમા કરવા એ હેડનું નામ ઓફિસે પૂછીને પછી લખી નાખીશું જો કે, પછી ભ્રષ્ટાચારીઑ પોતાના વ્યક્તિગત ખાતે આ ચેકને જમા કરી દેતા હતા. એવી જ રીતે જે શિક્ષકોની સર્વિસ બુકમાં ૨૫૦ કે તેથી ઓછી  રજા જમા હોય તો આ ભ્રષ્ટાચારી લોકો ૩૦૦ રજાનો રોકડ રૂપાંતર પગાર જમા કરી દે અને એક જ મોડેસ ઓપરેન્ડી મુજબ જે તે શિક્ષકો પાસેથી ઉપરના રૂપિયાનો ચેક લખાવીને પોતાના વ્યક્તિગત ખાતે જમા કરી બેંકનું ડુપ્લીકેટ ચલણ જે તે શિક્ષકોને આપી દેતા આવી રીતે વાંકાનેર શિક્ષણ શાખામાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યો છે, છેલ્લા ચારેક માસથી ગોકળ ગાયની ગતિએ તપાસ ચાલી રહી છે જો કે, ભ્રષ્ટાચારીઓની સામે કયારે અને કેવા પગલાં લેવામાં આવશે તેના ઉપર સહુ કોઇની નજર મંડાયેલ છે.






Latest News