મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

ટંકારાના શિક્ષિકા જીવતીબેન પીપલીયાના વધુ એક પુસ્તકનું વિમોચન


SHARE















ટંકારાના શિક્ષિકા જીવતીબેન પીપલીયાના વધુ એક પુસ્તકનું વિમોચન

બાળ સાહિત્ય ક્ષેત્રે કંઈક નવું કરવાની નેમ ધરાવતાં મોરબી જિલ્લાના ટંકારાના લેખિકા જીવતીબેન પીપલીયાનું બીજું પુસ્તક હાથીદાદાની જય હો નું વિમોચન તાજેતરમાં કરવામાં આવ્યું છે અને છેલ્લાં ચાર વર્ષથી ગુજરાતી ભાષા અને સાહિત્ય ક્ષેત્રે 'શબ્દ વાવેતર પરિવાર' ગ્રુપમાં જોડાઈને નવોદિત કવિઓ અને લેખકોની પદ્ય વિભાગની રચનાઓનું મૂલ્યાંકન કરી માર્ગદર્શન આપતાં, શબ્દ વાવેતર ગ્રુપનાં એડમીન અને લખધીરગઢ પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા પીપલીયા જીવતીબેનનાં દ્વિતીય પુસ્તક 'હાથીદાદાની જય હો' નું કાયાવરોહણ તીર્થક્ષેત્રમાં વિમોચન કરવામાં આવ્યું છે પ્રથમ બાળગીત સંગ્રહ 'પરીબાઈની પાંખે' વિમોચન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ જીવતીબેનનો દ્વિતીય બાળવાર્તા સંગ્રહ 'હાથીદાદાની જય હો'નુ વિમોચન પ્રવીણભાઈ ઠક્કર (લોકભારતી સણોસરાના પૂર્વ નિયામક), લોકસાહિત્યકાર યોગેશભાઈ ગઢવી, ગૌરવભાઈ ભટ્ટ (લોકસાહિત્યકાર), સતિષભાઈ, હાર્દિકભાઈ પરમાર તેમજ પરિવારજનોનાં વરદ હસ્તે સંપન્ન થયું હતું






Latest News