ટંકારાના સજનપર ગામે જુગાર રમતા આઠ શખ્સો ૧૩,૫૦૦ ના મુદામાલ સાથે પકડાયા
ટંકારાના શિક્ષિકા જીવતીબેન પીપલીયાના વધુ એક પુસ્તકનું વિમોચન
SHARE
ટંકારાના શિક્ષિકા જીવતીબેન પીપલીયાના વધુ એક પુસ્તકનું વિમોચન
બાળ સાહિત્ય ક્ષેત્રે કંઈક નવું કરવાની નેમ ધરાવતાં મોરબી જિલ્લાના ટંકારાના લેખિકા જીવતીબેન પીપલીયાનું બીજું પુસ્તક હાથીદાદાની જય હો નું વિમોચન તાજેતરમાં કરવામાં આવ્યું છે અને છેલ્લાં ચાર વર્ષથી ગુજરાતી ભાષા અને સાહિત્ય ક્ષેત્રે 'શબ્દ વાવેતર પરિવાર' ગ્રુપમાં જોડાઈને નવોદિત કવિઓ અને લેખકોની પદ્ય વિભાગની રચનાઓનું મૂલ્યાંકન કરી માર્ગદર્શન આપતાં, શબ્દ વાવેતર ગ્રુપનાં એડમીન અને લખધીરગઢ પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા પીપલીયા જીવતીબેનનાં દ્વિતીય પુસ્તક 'હાથીદાદાની જય હો' નું કાયાવરોહણ તીર્થક્ષેત્રમાં વિમોચન કરવામાં આવ્યું છે પ્રથમ બાળગીત સંગ્રહ 'પરીબાઈની પાંખે' વિમોચન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ જીવતીબેનનો દ્વિતીય બાળવાર્તા સંગ્રહ 'હાથીદાદાની જય હો'નુ વિમોચન પ્રવીણભાઈ ઠક્કર (લોકભારતી સણોસરાના પૂર્વ નિયામક), લોકસાહિત્યકાર યોગેશભાઈ ગઢવી, ગૌરવભાઈ ભટ્ટ (લોકસાહિત્યકાર), સતિષભાઈ, હાર્દિકભાઈ પરમાર તેમજ પરિવારજનોનાં વરદ હસ્તે સંપન્ન થયું હતું