એસએમસી ત્રાટકી: વાંકનેરના વઘાસિયા ટોલનાકા પાસેથી 28,912 બોટલો દારૂ ભરેલ ટ્રક સાથે એક પકડાયો, 80.86 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ઘુંટુ રોડ પાસેથી ૨૪૦ બોટલ દારૂ ભરેલી રીક્ષા પકડાઇ, આરોપીઓની શોધખોળ ચાલુ મોરબી નજીક કારખાનામાંથી કોપર-એલ્યુમિનિયમ વાયરની ચોરીના ગુનામાં વધુ 2 આરોપી ની ધરપકડ  મોરબીના જેતપર ગામે ખેડૂતોના હક્ક માટે આમરણાંત આંદોલનનો આજે બીજો દિવસ: તંત્રની ઘોર બેદરકારી ! મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વીરાંગના રાણી લક્ષ્મીબાઈની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો મોરબી : બુઢા અમરનાથ સાહસિક યાત્રાનું આયોજન, જોડાવા અપીલ મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં વરલી જુગારની 4 રેડ ટંકારાના લજાઈ ગામ પાસે વાડીની ઓરડીમાં ઇલેક્ટ્રીક શોટ લગતા ત્રણ વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં જુદીજુદી બે ખાનગી ફાયનાન્સ કંપનીઓ ૨૦૦૦ ની ગુલાબી નોટ સ્વીકારવાનો કર્યો ઇનકાર


SHARE











મોરબીમાં જુદીજુદી બે ખાનગી ફાયનાન્સ કંપનીઓ ૨૦૦૦ ની ગુલાબી નોટ સ્વીકારવાનો કર્યો ઇનકાર

સરકારે ૨૦૦૦ ની ગુલાબી નોટ પછી લેવાનું આયોજન કર્યું છે જો કે તેના માટે ચાર મહિનાનો સમય આપવામાં આવ્યો છે તો પણ ઘણી જગ્યાએ ૨૦૦૦ ની નોટ લેવાનું વાંધ કરી લેવામાં આવી છે ત્યારે આવી જ રીતે મોરબીમાં આવેલ બે ખાનગી ફાયનાન્સ કંપનીઓએ રિઝર્વ બેન્કના નિયમોનો ઉલાળિયો કરીને ગુલાબી નોટ લેવાનું બંધ કરી દીધું છે જેથી કરીને લોકોને હેરાન થવું પાસે છે

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આઇઆઇએફએલ ફાયનાન્સ કંપનીએ મોરબીના યોગીનગરમાં રહેતા યુવરાજસિંહ વાઘુભા જાડેજાને ગોલ્ડ લોન આપી હતી જેની રકમ ભરવા માટે તે ગયેલા હતા ત્યારે ત્યાના સ્ટાફે બે હજારની નોટ લેવાની ના પડી દીધી હતી જેથી કરીને તેમણે તેને ઉપરી અધિકારીની સાથે વાત કરી હતી તો તેને પણ નોટ લેવામાં નહીં આવે તમારે આરબીઆઇમાં ફરિયાદ કરવી હોય તો કરી શકો છો તેવું કહ્યું હતું જેથી કરીને તે મુશ્કેલીમાં મુકાયા હતા ત્યાર બાદ મોરબીની સુધારા શેરીમાં આવેલ મુથ્થુટ ફાયનાન્સમાંથી રવિભાઈ ચંદુભાઈ મિયાત્રાએ ૫૫૦૦૦ ની ગોલ્ડ લોન લીધેલ હતી જે રકમ ભરવા માટે ગયા ત્યારે બે હજારની ૬ નોટ તેમાં આપી હતી ત્યારે મુથ્થુટ ફાયનાન્સના કર્મચારીએ તે ગુલાબી નોટ લેવાની ના પડી દીધી હતી આમ જુદીજુદી ખાનગી પેઢીઓમાં ગુલાબી નોટને લેવાનું બંધ કરવામાં આવ્યું છે જેથી કરીને હાલમાં ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ગ્રાહકોની તકલીફ દૂર થાય તે માટે આવી ખાનગી પેઢીઓની સામે આરબીઆઇ દ્વારા આકરા પગલાં લેવામાં આવે તે જરૂરી છે






Latest News