મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં જુદીજુદી બે ખાનગી ફાયનાન્સ કંપનીઓ ૨૦૦૦ ની ગુલાબી નોટ સ્વીકારવાનો કર્યો ઇનકાર


SHARE















મોરબીમાં જુદીજુદી બે ખાનગી ફાયનાન્સ કંપનીઓ ૨૦૦૦ ની ગુલાબી નોટ સ્વીકારવાનો કર્યો ઇનકાર

સરકારે ૨૦૦૦ ની ગુલાબી નોટ પછી લેવાનું આયોજન કર્યું છે જો કે તેના માટે ચાર મહિનાનો સમય આપવામાં આવ્યો છે તો પણ ઘણી જગ્યાએ ૨૦૦૦ ની નોટ લેવાનું વાંધ કરી લેવામાં આવી છે ત્યારે આવી જ રીતે મોરબીમાં આવેલ બે ખાનગી ફાયનાન્સ કંપનીઓએ રિઝર્વ બેન્કના નિયમોનો ઉલાળિયો કરીને ગુલાબી નોટ લેવાનું બંધ કરી દીધું છે જેથી કરીને લોકોને હેરાન થવું પાસે છે

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આઇઆઇએફએલ ફાયનાન્સ કંપનીએ મોરબીના યોગીનગરમાં રહેતા યુવરાજસિંહ વાઘુભા જાડેજાને ગોલ્ડ લોન આપી હતી જેની રકમ ભરવા માટે તે ગયેલા હતા ત્યારે ત્યાના સ્ટાફે બે હજારની નોટ લેવાની ના પડી દીધી હતી જેથી કરીને તેમણે તેને ઉપરી અધિકારીની સાથે વાત કરી હતી તો તેને પણ નોટ લેવામાં નહીં આવે તમારે આરબીઆઇમાં ફરિયાદ કરવી હોય તો કરી શકો છો તેવું કહ્યું હતું જેથી કરીને તે મુશ્કેલીમાં મુકાયા હતા ત્યાર બાદ મોરબીની સુધારા શેરીમાં આવેલ મુથ્થુટ ફાયનાન્સમાંથી રવિભાઈ ચંદુભાઈ મિયાત્રાએ ૫૫૦૦૦ ની ગોલ્ડ લોન લીધેલ હતી જે રકમ ભરવા માટે ગયા ત્યારે બે હજારની ૬ નોટ તેમાં આપી હતી ત્યારે મુથ્થુટ ફાયનાન્સના કર્મચારીએ તે ગુલાબી નોટ લેવાની ના પડી દીધી હતી આમ જુદીજુદી ખાનગી પેઢીઓમાં ગુલાબી નોટને લેવાનું બંધ કરવામાં આવ્યું છે જેથી કરીને હાલમાં ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ગ્રાહકોની તકલીફ દૂર થાય તે માટે આવી ખાનગી પેઢીઓની સામે આરબીઆઇ દ્વારા આકરા પગલાં લેવામાં આવે તે જરૂરી છે






Latest News