મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાથી સગીરનું અપહરણ કરનારા આરોપીને ઝડપી પડ્યો


SHARE







મોરબીમાંથી સગીરનું અપહરણ કરનારા આરોપીની ધરપકડ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે અપહરણ કરવામાં આવ્યું હતું જેથી કરીને ભોગ બનેલ પરિવાર દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે અપહરણનો ગુનો નોંધીને આરોપીને પકડી પાડવા અને સગીરાને શોધી કાઢવા તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે ગત તા.૫-૪ ના સાંજના સાડા છએક વાગ્યાના અરસામાં અપહરણ કરવામાં આવ્યું હતું જેથી કરીને ભોગ બનેલ સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે આઇપીસી કલમ ૩૬૩, ૩૬૬ અને પોકસો એકટ મુજબ ગુનો નોંધીને આરોપી કરણ દિનેશભાઇ સોમાણી રહે. મોટા દહીંસરા તાલુકો માળીયા મીંયાણા વાળાને પકડવા માટે તજવીજ ચાલુ હતી અને હાલમાં મોરબી બી ડિવિઝન પીઆઈ પી.એ.દેકાવાડીયા અને તેના સ્ટાફ દ્વારા આરોપી કરણ દિનેશભાઇ સોમાણી જાતે કોળી (૨૦) રહે. મોટા દહીંસરા વાળાની ધરપકડ કરેલ છે અનેયાજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે

પરણીતા સારવારમાં
મોરબીના માળીયા મિંયાણા તાલુકાના ખાખરેચી ગામે રહેતી જાન્વીબેન જીગરભાઈ હિંડોચા નામની ૨૩ વર્ષીય નવોઢા તેના ઘરે કોઈ અગમ્ય કારણોસર કોઈ ઝેરી દવા પી જતા તેણીને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી.તેણીનો લગ્નગાળો આઠ માસનો હોય પોલીસમાં જાણ કરવામાં આવતા હાલ માળિયા પોલીસ દ્વારા આ બનાવ સંદર્ભે આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં બે યુવાનોને ઇજા
મોરબીના રાજકોટ હાઇવે ઉપર આવેલા એટોપ ફૂડ ઇન્ડસ્ટ્રીઝ પાસે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જેમાં મિત મહેન્દ્રભાઈ પટેલ (૨૦) રહે.સરાયા તા.ટંકારા તેમજ ધાર્મિક મનહરભાઈ પટેલ (૨૧) રહે.સરાયા તા.ટંકારા વાળાઓને ઇજા પહોંચતા બંનેને અહીંની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જેથી બનાવ સંદર્ભે એ ડિવિઝનમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના ધર્મેન્દ્રભાઈ વાગડિયાએ તપાસ કરી હતી.

યુવાન સારવારમાં
મોરબીના શનાળા-કંડલા બાયપાસ ઉપર દલવાડી સર્કલ નજીક આવેલા કિર્તી પેટ્રોલ પંપ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં પંચાસર ગામે રહેતા જયદીપ કાંતિભાઈ પરમાર નામના ૨૩ વર્ષના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઇજા પહોંચતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો જેથી એ ડિવિઝન પોલીસ મથકના ડી.એ.વાઘડીયા દ્વારા આ અંગે નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News