ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત ​​​​​​​મોરબીમાં પરિણીતાને દુ:ખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં સખી મંડળને મળી સરકાર દ્વારા રૂપિયા ૩.૫૦ લાખની સીસી લોન


SHARE













મોરબીમાં સખી મંડળને મળી સરકાર દ્વારા રૂપિયા ૩.૫૦ લાખની સીસી લોન

આજની નારી ઘરની સાથો સાથ વ્યસાયને પણ કુશળતાપૂર્વક ચલાવી જાણે છે. તે પોતાની આવડત અનુસાર રોજગારી ઉભી કરી ઘરમાં આર્થિકરૂપે મદદગાર સાબિત થઇ છે. આવી સ્ત્રીઓ માટે ખાસ સરકારે સખી NLRM ની યોજના બનાવી છે. જેમાં સરકાર દ્વારા રોજગારી શરૂ કરવા માટે મહિલાઓને લોન સહિતની વિવિધ સહાય આપવામાં આવે છે. આ યોજના થકી અનેક  સ્ત્રીઓ પોતાના સખી મંડળ બનાવી પોતાની શક્તિ અનુસાર અન્ય સ્ત્રીઓને પણ રોજગારી આપી રહી છે. આ સખી મંડળમાં ઓછામાં ઓછી કુલ ૧૦ સ્ત્રીઓને જોડવાનું રહે છે.

NLRM ની યોજના હેઠળ મોરબી તાલુકાના બગથળા ગામનાં સખી મંડળના એક સખી મનીષાબેન પટેલ કહે છે કે, મારા સખી મંડળનું નામ દેવ મિશન મંગલમ જૂથ છે, જેમાં અમે કુલ ૧૦ સખીઓ જોડાયેલા છીએ. અમને સરકારશ્રી તરફથી રૂપિયા ૩,૫૦,૦૦૦ ની સી.સી. લોન મળી છે. જેમાંથી અમે ગૃહ ઉદ્યોગ અને લેધરબેગનો વ્યવસાય કરીએ છીએ ઉપરાંત અમે સખી સંઘ મંડળ પણ બનાવ્યું છે જેમાં અમને રૂપિયા ૨૧,૦૦,૦૦૦ સી.આઇ.એફ. ફંડ તરીકે મળેલ છે. આ રકમમાંથી અમે પશુપાલન, ખેતી, લેધર બેગ, કટલેરીની દુકાન અને ફરસાણની દુકાન વગેરે વ્યવસાય કરી રહ્યા છીએ અને આગળ વધી રહ્યા છીએ






Latest News