મોરબી જીલ્લામાં પંચાયતનું નાણાકીય રેકોર્ડ ગુમ કરનાર તલાટીમંત્રી ફરજ મોકુફ: ફરિયાદ નોંધાવવા તજવીજ
ટંકારાના હમીરપર ગામે રામદેવપીર મહારાજનો પાટોત્સવ યોજાયો
SHARE
ટંકારાના હમીરપર ગામે રામદેવપીર મહારાજનો પાટોત્સવ યોજાયો
મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના હમીરપર ગામે તા.૩૦/૫ ને મંગળવારના રોજ રામદેવપીર મંદિર, અલખધણી આશ્રમ હમીરપર ગામ ખાતે રામદેવપીર મહારાજનો પ્રથમ પાટોત્સવનું આયોજન કરવામા આવ્યું હતું આ આયોજનમાં સમસ્ત હમીરપર ગામે મહાપ્રસાદ લીધો હતો અને સાંજે ૯ થી ૧ વાગીયા સુધી મોરબી રામધન આશ્રમના રત્નેશ્વરીબેન ગુરૂ ભાવેશ્વરીમાં એ સંગીતમયશૈલીમાં પોતાની અમૃતવાણીનો લાભ આપ્યો હતો. સાથે ભજન સંતવાણીનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગમાં સમસ્ત હમીરપર ગામે સાથ સહકાર આપ્યોએ બદલ રામદેવપીર મંદિરના પૂજારી જ્યંતિભાઈ રાઠોડએ ગામનો આભાર વ્યક્ત કરેલ છે અલખધણી આશ્રમ દ્વારા દર બીજે બટુક ભોજન, ભજન કીર્તન પક્ષીઓનો નિભાવ ચણ તેમજ યાત્રિકો માટે ચા પાણી તેમજ રહેવાની સુવિધા કરવામાં આવે છે તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવ્યું હતું









