માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબીમાં વારંવાર પાવર કાપ મૂકીને પીજીવીસીએલ દ્વારા પ્રજાની કરાતી હેરાનગતી બંધ કરો : રમેશ રબારી


SHARE













મોરબીમાં વારંવાર પાવર કાપ મૂકીને પીજીવીસીએલ દ્વારા પ્રજાની કરાતી હેરાનગતી બંધ કરો : રમેશ રબારી

મોરબી શહેરમાં અવાર નવાર બુધવાર અને રવિવારે મેન્ટેનન્સના બહાને પાવર કાપ મૂકવામાં આવે છેલ્લા ૬ માસથી મેઇન્ટેન્સની કામગીરી ચાલી રહેલ છે તે કામગીરી હજુ સુધી પૂરી કરવામાં આવેલ નથી તેવું લાગી રહ્યું છે.કારણ કે વારંવાર શહેરના કોઈને કોઈ વિસ્તારની અંદર લાઈટ જાય છે અને મેન્ટેનન્સ કામ ચાલુ છે તેઓ એક જવાબ આપી દેવામાં આવે છે.જો કે હાલ ગરમીનો સમય હોય અને લોકો હેરાન થતા હોય પ્રી-મોનસુનની કામગીરી કેવી થઇ હશે તે સામે પણ પ્રશ્નાર્થ ઉઠી રહ્યો છે.

આ બાબતે અહીંના કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારીના જણાવ્યા પ્રમાણે, પીજીવીસીએલની અણઆવડત કહો કે ઈરાદાપૂર્વક કરાતી હેરાનગતીમાં આખો દિવસ અને રાતમાં ગમે ત્યારે પાવર બંધ કરીને હાલના આ કાળઝાળ ઉનાળાના સમયમાં બપોરના સમયે પાવર કાપ મૂકી લોકોને પરેશાન કરવામાં આવે છે. તેમજ જરા પણ વાતાવરણમાં ફેરફાર થાય ત્યાં તરત લાઈટ બંધ કરી નાંખવામાં આવે છે અને કલાકો સુધી પાવર ચાલુ કરવામાં આવતો નથી તેમજ પીજીવીસીએલ દ્વારા આપવામાં આવેલ ફરિયાદ  લખાવવા માટેનો ફોન સતત એંગેજ બતાવે છે અથવા કોઈ કર્મચારી ફોન ઉપાડતાં નથી ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાન અને માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ પીજીવીસીલના મુખ્ય અઘિકારીને રજૂઆત કરેલ છે કે આવા આકરા ઉનાળામાં પાવર કાપ બંધ કરીને પ્રજાની જરૂરિયાત મુજબનો વીજ પુરવઠો નિરંતર મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવવી જોઇએ.






Latest News