મોરબી મહાપાલિકાના હદ વિસ્તારમાંથી છેલ્લા મહિનાઓમાં 3,502 પશુ ડબ્બે પુરાયા મોરબીમાં રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે નિઃશુલ્ક હોમિયોપેથીક કેમ્પ યોજાયો મોરબી પાટીદાર એડવોકેટ લીગલ સેલ-જીવાપરના ખેડૂતોની ટ્રેક્ટર રેલી યોજાઇ મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલનના સમર્થનમા આવેલા કલાકાર હકાભા ગઢવીને છાવણીએ આવવાની મનાઈ ! મોરબી જિલ્લામાં જમીન દફતર ખાતાની સેવાઓનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ: નાગરિકોની સુવિધા માટે નવી ૬ કચેરીઓ કાર્યરત વિદેશ અભ્યાસ લોન બની પથદર્શક: હળવદ તાલુકાનાં મનીષ જાદવનું જર્મનીમાં ભણવાનું સપનું થયું સાકાર નમો સ્વચ્છતા અભિયાનનો મોરબી મનપાના મેયર ઉત્તમ સુરાણી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની હાજરીમાં પ્રારંભ મોરબી જિલ્લામાં સહકાર થી સમૃદ્ધિના સંકલ્પ સાથે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું 
Breaking news
Morbi Today

મોરબીમાં વારંવાર પાવર કાપ મૂકીને પીજીવીસીએલ દ્વારા પ્રજાની કરાતી હેરાનગતી બંધ કરો : રમેશ રબારી


SHARE









મોરબીમાં વારંવાર પાવર કાપ મૂકીને પીજીવીસીએલ દ્વારા પ્રજાની કરાતી હેરાનગતી બંધ કરો : રમેશ રબારી

મોરબી શહેરમાં અવાર નવાર બુધવાર અને રવિવારે મેન્ટેનન્સના બહાને પાવર કાપ મૂકવામાં આવે છેલ્લા ૬ માસથી મેઇન્ટેન્સની કામગીરી ચાલી રહેલ છે તે કામગીરી હજુ સુધી પૂરી કરવામાં આવેલ નથી તેવું લાગી રહ્યું છે.કારણ કે વારંવાર શહેરના કોઈને કોઈ વિસ્તારની અંદર લાઈટ જાય છે અને મેન્ટેનન્સ કામ ચાલુ છે તેઓ એક જવાબ આપી દેવામાં આવે છે.જો કે હાલ ગરમીનો સમય હોય અને લોકો હેરાન થતા હોય પ્રી-મોનસુનની કામગીરી કેવી થઇ હશે તે સામે પણ પ્રશ્નાર્થ ઉઠી રહ્યો છે.

આ બાબતે અહીંના કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારીના જણાવ્યા પ્રમાણે, પીજીવીસીએલની અણઆવડત કહો કે ઈરાદાપૂર્વક કરાતી હેરાનગતીમાં આખો દિવસ અને રાતમાં ગમે ત્યારે પાવર બંધ કરીને હાલના આ કાળઝાળ ઉનાળાના સમયમાં બપોરના સમયે પાવર કાપ મૂકી લોકોને પરેશાન કરવામાં આવે છે. તેમજ જરા પણ વાતાવરણમાં ફેરફાર થાય ત્યાં તરત લાઈટ બંધ કરી નાંખવામાં આવે છે અને કલાકો સુધી પાવર ચાલુ કરવામાં આવતો નથી તેમજ પીજીવીસીએલ દ્વારા આપવામાં આવેલ ફરિયાદ  લખાવવા માટેનો ફોન સતત એંગેજ બતાવે છે અથવા કોઈ કર્મચારી ફોન ઉપાડતાં નથી ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાન અને માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ પીજીવીસીલના મુખ્ય અઘિકારીને રજૂઆત કરેલ છે કે આવા આકરા ઉનાળામાં પાવર કાપ બંધ કરીને પ્રજાની જરૂરિયાત મુજબનો વીજ પુરવઠો નિરંતર મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવવી જોઇએ.






Latest News