મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં વારંવાર પાવર કાપ મૂકીને પીજીવીસીએલ દ્વારા પ્રજાની કરાતી હેરાનગતી બંધ કરો : રમેશ રબારી


SHARE













મોરબીમાં વારંવાર પાવર કાપ મૂકીને પીજીવીસીએલ દ્વારા પ્રજાની કરાતી હેરાનગતી બંધ કરો : રમેશ રબારી

મોરબી શહેરમાં અવાર નવાર બુધવાર અને રવિવારે મેન્ટેનન્સના બહાને પાવર કાપ મૂકવામાં આવે છેલ્લા ૬ માસથી મેઇન્ટેન્સની કામગીરી ચાલી રહેલ છે તે કામગીરી હજુ સુધી પૂરી કરવામાં આવેલ નથી તેવું લાગી રહ્યું છે.કારણ કે વારંવાર શહેરના કોઈને કોઈ વિસ્તારની અંદર લાઈટ જાય છે અને મેન્ટેનન્સ કામ ચાલુ છે તેઓ એક જવાબ આપી દેવામાં આવે છે.જો કે હાલ ગરમીનો સમય હોય અને લોકો હેરાન થતા હોય પ્રી-મોનસુનની કામગીરી કેવી થઇ હશે તે સામે પણ પ્રશ્નાર્થ ઉઠી રહ્યો છે.

આ બાબતે અહીંના કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારીના જણાવ્યા પ્રમાણે, પીજીવીસીએલની અણઆવડત કહો કે ઈરાદાપૂર્વક કરાતી હેરાનગતીમાં આખો દિવસ અને રાતમાં ગમે ત્યારે પાવર બંધ કરીને હાલના આ કાળઝાળ ઉનાળાના સમયમાં બપોરના સમયે પાવર કાપ મૂકી લોકોને પરેશાન કરવામાં આવે છે. તેમજ જરા પણ વાતાવરણમાં ફેરફાર થાય ત્યાં તરત લાઈટ બંધ કરી નાંખવામાં આવે છે અને કલાકો સુધી પાવર ચાલુ કરવામાં આવતો નથી તેમજ પીજીવીસીએલ દ્વારા આપવામાં આવેલ ફરિયાદ  લખાવવા માટેનો ફોન સતત એંગેજ બતાવે છે અથવા કોઈ કર્મચારી ફોન ઉપાડતાં નથી ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાન અને માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ પીજીવીસીલના મુખ્ય અઘિકારીને રજૂઆત કરેલ છે કે આવા આકરા ઉનાળામાં પાવર કાપ બંધ કરીને પ્રજાની જરૂરિયાત મુજબનો વીજ પુરવઠો નિરંતર મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવવી જોઇએ.






Latest News