મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબીના માળિયા હાઇવે અમરનગર ગામ પાસે રીક્ષા સાથે ગાય અથડાતા ત્રણ ઇજાગ્રસ્તો સારવારમાં


SHARE









મોરબીના માળિયા હાઇવે અમરનગર ગામ પાસે રીક્ષા સાથે ગાય અથડાતા ત્રણ ઇજાગ્રસ્તો સારવારમાં

મોરબીના માળિયા હાઇવે ઉપર અમરનગર ગામની પાસેથી જતી ઓટોરિક્ષા સાથે ગાય અથડાવાનો બનાવ બન્યો હતો જેમા ત્રણ લોકોને ઈજા થતાં સારવાર માટે અહીંની સિવિલે લાવવામાં આવ્યા હતા.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના માળીયા હાઇવે ઉપર અમરનગર ગામ પાસે વાહન અકસ્માત થયો હતો જેમાં ઓટો રીક્ષા નંબર જીજે ૧૦ ટીઝેડ ૧૬૧ સાથે ગાય અથડાતા સર્જાયેલ અકસ્માત બનાવમાં અકબર બાવાભાઈ સામતાણી (ઉમર ૪૪), હવાબેન રફિકભાઈ કાજડીયા (ઉમર ૩૫) અને મોહમ્મદભાઈ આદમભાઈ (ઉમર ૬૦) વાળાઓને ઇજા થતા ત્રણેયને અહીંની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.ગાય રીક્ષા સાથે ટકરાતા બનેલ બનાવમાં ઇજાગ્રસ્તોને ૧૦૮ વડે સિવિલે ખસેડાયા હતા.હાલ તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા આ બનાવની આગળની તપાસ ચલાવી રહ્યા છે.

ઝેરી જનાવર કરડી જતા સારવારમાં

મોરબીના ટંકારા તાલુકામાં આવેલા વીરપર ગામે રહેતા પ્રકાશભાઇ ખીમાભાઈ વાંક નામના ૪૨ વર્ષના યુવાનને વીરપર ગામે ખેતરમાં કામ કરતા સમયે કોઈ ઝેરી જનાવર કરડી જતા ઝેરી અસર થઈ હતી.જેના પગલે તેને સારવાર માટે મોરબી ખસેડાયો હતો.હાલ મોરબી એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ. ચાવડાએ પ્રાથમિક તપાસ કરીને આ અંગે ટંકારા પોલીસને જાણ કરી હતી.

એસિડ પી લેતા સારવારમાં

મોરબીના હળવદ તાલુકાના માથક ગામે રહેતા દર્શનાબા ક્રિપાલસિંહ જાડેજા નામની મહિલા હળવદના માથક ગામે તેમના ઘરે કોઈ અગમ્ય કારણોસર એસિડ પી ગયા હતા જેથી તેઓને સારવાર માટે અત્રેની સમર્પણ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા બનાવને પગલે મોરબી બી ડિવિઝન પોલીસે પ્રાથમિક તપાસ કરીને બનાવ હળવદ પંથકનો હોય બનાવ સંદર્ભે આગળની તપાસ માટે હળવદ પોલીસને જાણ કરી હતી






Latest News