વાંકાનેરમાં ત્રણ યુવાનોના મોત નિપજાવનાર કાળમુખા ટ્રકના ચાલક સામે ગુનો નોંધાયો
મોરબીના માળિયા હાઇવે અમરનગર ગામ પાસે રીક્ષા સાથે ગાય અથડાતા ત્રણ ઇજાગ્રસ્તો સારવારમાં
SHARE
મોરબીના માળિયા હાઇવે અમરનગર ગામ પાસે રીક્ષા સાથે ગાય અથડાતા ત્રણ ઇજાગ્રસ્તો સારવારમાં
મોરબીના માળિયા હાઇવે ઉપર અમરનગર ગામની પાસેથી જતી ઓટોરિક્ષા સાથે ગાય અથડાવાનો બનાવ બન્યો હતો જેમા ત્રણ લોકોને ઈજા થતાં સારવાર માટે અહીંની સિવિલે લાવવામાં આવ્યા હતા.
મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના માળીયા હાઇવે ઉપર અમરનગર ગામ પાસે વાહન અકસ્માત થયો હતો જેમાં ઓટો રીક્ષા નંબર જીજે ૧૦ ટીઝેડ ૧૬૧ સાથે ગાય અથડાતા સર્જાયેલ અકસ્માત બનાવમાં અકબર બાવાભાઈ સામતાણી (ઉમર ૪૪), હવાબેન રફિકભાઈ કાજડીયા (ઉમર ૩૫) અને મોહમ્મદભાઈ આદમભાઈ (ઉમર ૬૦) વાળાઓને ઇજા થતા ત્રણેયને અહીંની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.ગાય રીક્ષા સાથે ટકરાતા બનેલ બનાવમાં ઇજાગ્રસ્તોને ૧૦૮ વડે સિવિલે ખસેડાયા હતા.હાલ તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા આ બનાવની આગળની તપાસ ચલાવી રહ્યા છે.
ઝેરી જનાવર કરડી જતા સારવારમાં
મોરબીના ટંકારા તાલુકામાં આવેલા વીરપર ગામે રહેતા પ્રકાશભાઇ ખીમાભાઈ વાંક નામના ૪૨ વર્ષના યુવાનને વીરપર ગામે ખેતરમાં કામ કરતા સમયે કોઈ ઝેરી જનાવર કરડી જતા ઝેરી અસર થઈ હતી.જેના પગલે તેને સારવાર માટે મોરબી ખસેડાયો હતો.હાલ મોરબી એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ. ચાવડાએ પ્રાથમિક તપાસ કરીને આ અંગે ટંકારા પોલીસને જાણ કરી હતી.
એસિડ પી લેતા સારવારમાં
મોરબીના હળવદ તાલુકાના માથક ગામે રહેતા દર્શનાબા ક્રિપાલસિંહ જાડેજા નામની મહિલા હળવદના માથક ગામે તેમના ઘરે કોઈ અગમ્ય કારણોસર એસિડ પી ગયા હતા જેથી તેઓને સારવાર માટે અત્રેની સમર્પણ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા બનાવને પગલે મોરબી બી ડિવિઝન પોલીસે પ્રાથમિક તપાસ કરીને બનાવ હળવદ પંથકનો હોય બનાવ સંદર્ભે આગળની તપાસ માટે હળવદ પોલીસને જાણ કરી હતી









