મોરબીમાં જે ખેડૂતોને પોતાના ખેતરમાં પાણીનો બોર, પાણીની મોટર અને પાણીનું કનેકશન હોય તેને પાણીપત્રકમાં ચડાવો : ચંદુભાઇ શીહોરા
SHARE
મોરબીમાં જે ખેડૂતોને પોતાના ખેતરમાં પાણીનો બોર, પાણીની મોટર અને પાણીનું કનેકશન હોય તેને પાણીપત્રકમાં ચડાવો : ચંદુભાઇ શીહોરા
મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરાએ જિલ્લા કલેકટરને પત્ર લખીને રજૂઆત કરતા જણાવેલ છે કે, અમાર ધ્યાને આવ્યા મુજબ વર્ષ ૨૦૦૧ પછીથી અને ઉપરી કચેરીના આદેશથી પાણીના બોર, પાણીની મોટર અને પાણીનું કનેકશન પાણી પત્રકમાં ન ચડાવવાનો આદેશ થયેલ છે.જેના કારણે જે ખેડૂતોને પોતાના ખેતરમાં પાણીનો બોર, પાણીની મોટર અને પાણીનુ કનેકશન હોય અને પાક ધિરાણ લીધેલ હોય અને ચાલુ પાક ધીરાણે ઉકત બાબતો પાણી પત્રકમાં ન ચડાવવાના કારણોસર ટીસીઆર કરાવવું પડે છે અને ટીસીઆર કરવવા માટે ખેડૂતોને વકીલનો ખર્ચ ટ, ૭/૧૨ કઢાવવા તેમજ બેન્કોના ધક્કા ખાવા પડે છે જેથી ખેડૂતોના સમયનો તો વ્યર્થ થાય જ છે આર્થીક બોજો પણ સહન કરવો પડે છે.
તેથી જે ખેડૂતોને પોતાના ખેતરમાં પાણીનો બોર, પાણીની મોટર હોય તેવા ખેડૂતોનો સમય વ્યર્થ ન થાય અને આર્થીક બોજો સહન ન કરવો પડે તે માટે તેવા ખેડૂતોની ખરાઇ કરાવીને ઉકત બાબતો પાણી પત્રકમાં ચડાવવા માટેનો આદેશ કલેકટર કક્ષાએથી કરવામાં આવે અને તે આદેશની લગત વિભાગને સૂચના આપવામાં આવે તેવી માંગ જીલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઇ છગનભાઇ શિહોરાએ કરેલ છે.