માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

વાવાઝોડાની સંભવિત અસરને લઈને સોમવારે મોરબી કલેકટર કચેરીમાં મંત્રીના અધ્યક્ષસ્થાને મહત્વની મિટિંગ


SHARE













વાવાઝોડાની સંભવિત અસરને લઈને સોમવારે મોરબી કલેકટર કચેરીમાં મંત્રીના અધ્યક્ષસ્થાને મહત્વની મિટિંગ

રાજયના હવામાન વિભાગ દ્વારા છેલ્લે જે આગાહી કરવામાં આવી છે તે મુજબ છ જિલ્લાઓમાં વાવાઝોડું મોટા પ્રમાણમાં અસર કરે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે અને ભારે પવન, ભારે વરસાદ ની શક્યતાઓ છે તેમાં મોરબી જિલ્લાનો પણ સમાવેશ થાય છે ત્યારે મોરબી જિલ્લા માટે મંત્રી કનુભાઈ દેસાઈને મુકવામાં આવ્યા હોય તેઓની અધ્યક્ષતામાં મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે સોમવારે મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવેલ છે જેમાં તમામ વિભાગના અધિકારીઓ સાથે વાવાઝોડાની અસરને ધ્યાનમાં રાખીને શું કામગીરી કરવામાં આવી છે અને શું કામગીરી કરવાની જરૂર છે તેની ચર્ચાઓ કરવામાં આવે તેવી માહિતી મળી રહી છે

મોરબી જિલ્લામાં આવતા નવલખી દરિયે હાલમાં વાવાઝોડાની અસરને લગતો કોઈ કરંટ જોવા મળતો નથી. પરંતુ રાજ્યના હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેને જોઈએ તો દરિયાકાંઠાના છ જિલ્લાઓમાં બીપરજોય વાવાઝોડું અસર કરશે જેમાં મોરબી જિલ્લાનો પણ સમાવેશ થાય છે અને મોરબી જિલ્લાના નવલખી બંદરે તમામ કામગીરી બંધ કરવા માટેની સૂચનાઓ પણ અપાઈ ગઈ છે સાથોસાથ રાજ્ય સરકાર દ્વારા જુદા જુદા જિલ્લાઓ માટે થઈને મંત્રીને મુકવામાં આવ્યા છે ત્યારે મોરબી જિલ્લા માટે મંત્રી કનુભાઈ દેસાઈને જવાબદારી સાથે મૂકવામાં આવ્યા છે જેથી મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં સોમવારે સવારે ૧૦:૩૦ કલાકે જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લાના કલેક્ટર સહિતના તમામ જવાબદાર વિભાગના અધિકારીઓની મહત્વપૂર્ણ બેઠક યોજવાની છે જેમાં છેલ્લા દિવસોથી વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લામાં શું કામગીરી કરવામાં આવી છે તેની માહિતી મેળવીને તેની સમીક્ષા કરવામાં આવશે તેમજ આગામી તારીખ ૧૪ અને ૧૫ ના રોજ ભારે પવન અને ભારે વરસાદ તેમજ વાવાઝોડું કચ્છ જિલ્લામાં જમીન સાથે અથડાઇ તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે ત્યારે તેની અસર મોરબી જિલ્લાને પણ મોટા પ્રમાણમાં થાય તેવુ હાલમાં દેખાઈ રહ્યું છે જેથી કરીને તાત્કાલિકના ધોરણે કયા પગલાં લેવાની જરૂર છે તેની પણ આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવે તેવી માહિતીઓ અધિકારી સૂત્રો પાસેથી મળી રહી છે






Latest News