મોરબી જિલ્લામાં વાવાઝોડા અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા આગમચેતીના પગલાની માર્ગદર્શિકા જાહેર કરાઇ
મંત્રીએ કનુભાઈ દેસાઈ નવલખી પોર્ટની પાસે આવેલ ઝુમાવાડી વિસ્તારની મુલાકાત લઈ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરી
SHARE
મંત્રીએ કનુભાઈ દેસાઈ નવલખી પોર્ટની પાસે આવેલ ઝુમાવાડી વિસ્તારની મુલાકાત લઈ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરી
મંત્રી કનુભાઈ દેસાઈએ બિપરજોય વાવાઝોડા સંદર્ભે મોરબી જિલ્લાના નવલખી પોર્ટની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મંત્રીએ પોર્ટની પાસે આવેલ ઝુમાવાડી વિસ્તારની મુલાકાત લઈ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરી હતી અને વાવાઝોડું આવે તે પહેલાની પરિસ્થિતિ અંગે તાગ મેળવ્યો હતો. મંત્રીએ આ વિસ્તારમાં થઈ રહેલા લોકોના સ્થળાંતરનું તલસ્પર્શી નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.આ મુલાકાત વેળાએ મોરબી જિલ્લા પ્રભારી સચિવ મનિષા ચંદ્રા, જિલ્લા કલેક્ટ જી.ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા, મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, મોરબી પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા, હળવદ માળિયા પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય તેમજ અન્ય સબંધિત અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.