મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ગામોમાં વસતા લોકોને સ્થળાંતર માટે સમજાવવામાં આવ્યા


SHARE















મોરબી જિલ્લાના ગામોમાં વસતા લોકોને સ્થળાંતર માટે સમજાવવામાં આવ્યા

મોરબી જિલ્લાના ટંકારા, જબલપુર, હરબટીયાળી, મીંતાણા, આર્યનગર વગેરે ગામમાં વસતા વિચરતી જાતીના લોકોનું બિપરજોય વાવાઝોડાના કારણે સુરક્ષાના હેતુથી સ્થળાંતર કરવા માટે સમજાવવામાં આવ્યા હતા.

મોરબી જિલ્લામાં બિપરજોય વાવાઝોડાના કારણે ભારે પવન સાથે વરસાદ આવવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેના પગલે ટંકારા, જબલપુર, હરબટીયાળી, મીંતાણા, આર્યનગર વગેરે ગામમાં ટંકારા તાલુકાના વહિવટી તંત્રના અધિકારીઓ અને મામલતદારશ્રીએ  સ્થળ પર જઈને એવા વિસ્તારો કે જ્યાં વાવાઝોડાની વધુ અસર જણાય અથવા તો એવા ઘરોમાં રહેતા લોકો કે જેનું ઘર પતરાવાળું, કાચું, જર્જરીત કે જૂનુ છે, ઉપરાંત ખુલ્લામાં કે નિંચાણવાળા વિસ્તારમાં રહેતા વિચરતી જાતીના ૬૦-૭૦ પરિવારોની સલામતીને ધ્યાનમાં લઈને તેમને સ્થળાંતર માટે સમજવવામાં આવ્યા હતા. કુદરતી આફતના આ સમયે લોકો પોત-પોતાની જવાબદારી સમજીને વહેલી તકે સ્થળાંતર કરે અને પોતાનો કિંમતી સામાન પોતાની સાથે લઈ જાય તે માટે વહિવટીતંત્ર દ્વારા સુચના આપવામાં આવી છે. ઉપરાંત ત્યાં ઉપસ્થિત લોકોને બાળકોનું ધ્યાન રાખવા તેમજ સગર્ભા બહેનો વિશે માહિતી મેળવી વધુમાં મેડિકલ વિશે જાણકારી આપી જરૂર જણાય તો તેઓને હેલ્પલાઈન નંબર પર કોલ કરવા પણ જણાવવામાં આવ્યું છે.






Latest News