મોરબીના મકનસર નજીક મચ્છુ ડેમમાં ન્હાવા ગયેલા યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત: મોરબીમાં દુકાને બેઠેલા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત   હળવદના બુટવડા ગામે ગળાફાંસો ખાઈને પરણીતાએ કર્યો આપઘાત ટંકારાના ધૂનડા(ખા)થી રસનાળ તરફ જતાં રસ્તા ઉપર કાર ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડનું મોત હળવદ પાલિકાના કર્મચારીને પાણી પ્રશ્ને ચેરમેને સ્ટીલની લાકડી વડે માર માર્યો મોરબી સહિત ગુજરાતના ખેડૂતોને વીજપોલ સામે વધુમાં વધુ વળતર મળે તે માટે ગાંધીનગર અને દિલ્હી સુધી જવાની રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની ખેડૂતોને ખાતરી મારામારીના ગુનાઓમાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી જેલ હવાલે કરતી હળવદ પોલીસ મોરબીમાં રહેતો ધાંગધ્રાનો યુવાન ગુમ, ગુમ થયેલી યુવતીની ભાળ મળી મોરબી જિલ્લામાં રોજગાર ભરતી મેળા યુવાનો માટે બન્યા રોજગારીનું માધ્યમ; મનપસંદ ક્ષેત્રમાં નોકરી મેળવી યુવાધન બન્યું સ્વનિર્ભર
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ગામોમાં વસતા લોકોને સ્થળાંતર માટે સમજાવવામાં આવ્યા


SHARE











મોરબી જિલ્લાના ગામોમાં વસતા લોકોને સ્થળાંતર માટે સમજાવવામાં આવ્યા

મોરબી જિલ્લાના ટંકારા, જબલપુર, હરબટીયાળી, મીંતાણા, આર્યનગર વગેરે ગામમાં વસતા વિચરતી જાતીના લોકોનું બિપરજોય વાવાઝોડાના કારણે સુરક્ષાના હેતુથી સ્થળાંતર કરવા માટે સમજાવવામાં આવ્યા હતા.

મોરબી જિલ્લામાં બિપરજોય વાવાઝોડાના કારણે ભારે પવન સાથે વરસાદ આવવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેના પગલે ટંકારા, જબલપુર, હરબટીયાળી, મીંતાણા, આર્યનગર વગેરે ગામમાં ટંકારા તાલુકાના વહિવટી તંત્રના અધિકારીઓ અને મામલતદારશ્રીએ  સ્થળ પર જઈને એવા વિસ્તારો કે જ્યાં વાવાઝોડાની વધુ અસર જણાય અથવા તો એવા ઘરોમાં રહેતા લોકો કે જેનું ઘર પતરાવાળું, કાચું, જર્જરીત કે જૂનુ છે, ઉપરાંત ખુલ્લામાં કે નિંચાણવાળા વિસ્તારમાં રહેતા વિચરતી જાતીના ૬૦-૭૦ પરિવારોની સલામતીને ધ્યાનમાં લઈને તેમને સ્થળાંતર માટે સમજવવામાં આવ્યા હતા. કુદરતી આફતના આ સમયે લોકો પોત-પોતાની જવાબદારી સમજીને વહેલી તકે સ્થળાંતર કરે અને પોતાનો કિંમતી સામાન પોતાની સાથે લઈ જાય તે માટે વહિવટીતંત્ર દ્વારા સુચના આપવામાં આવી છે. ઉપરાંત ત્યાં ઉપસ્થિત લોકોને બાળકોનું ધ્યાન રાખવા તેમજ સગર્ભા બહેનો વિશે માહિતી મેળવી વધુમાં મેડિકલ વિશે જાણકારી આપી જરૂર જણાય તો તેઓને હેલ્પલાઈન નંબર પર કોલ કરવા પણ જણાવવામાં આવ્યું છે.






Latest News