મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ગામોમાં વસતા લોકોને સ્થળાંતર માટે સમજાવવામાં આવ્યા


SHARE













મોરબી જિલ્લાના ગામોમાં વસતા લોકોને સ્થળાંતર માટે સમજાવવામાં આવ્યા

મોરબી જિલ્લાના ટંકારા, જબલપુર, હરબટીયાળી, મીંતાણા, આર્યનગર વગેરે ગામમાં વસતા વિચરતી જાતીના લોકોનું બિપરજોય વાવાઝોડાના કારણે સુરક્ષાના હેતુથી સ્થળાંતર કરવા માટે સમજાવવામાં આવ્યા હતા.

મોરબી જિલ્લામાં બિપરજોય વાવાઝોડાના કારણે ભારે પવન સાથે વરસાદ આવવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેના પગલે ટંકારા, જબલપુર, હરબટીયાળી, મીંતાણા, આર્યનગર વગેરે ગામમાં ટંકારા તાલુકાના વહિવટી તંત્રના અધિકારીઓ અને મામલતદારશ્રીએ  સ્થળ પર જઈને એવા વિસ્તારો કે જ્યાં વાવાઝોડાની વધુ અસર જણાય અથવા તો એવા ઘરોમાં રહેતા લોકો કે જેનું ઘર પતરાવાળું, કાચું, જર્જરીત કે જૂનુ છે, ઉપરાંત ખુલ્લામાં કે નિંચાણવાળા વિસ્તારમાં રહેતા વિચરતી જાતીના ૬૦-૭૦ પરિવારોની સલામતીને ધ્યાનમાં લઈને તેમને સ્થળાંતર માટે સમજવવામાં આવ્યા હતા. કુદરતી આફતના આ સમયે લોકો પોત-પોતાની જવાબદારી સમજીને વહેલી તકે સ્થળાંતર કરે અને પોતાનો કિંમતી સામાન પોતાની સાથે લઈ જાય તે માટે વહિવટીતંત્ર દ્વારા સુચના આપવામાં આવી છે. ઉપરાંત ત્યાં ઉપસ્થિત લોકોને બાળકોનું ધ્યાન રાખવા તેમજ સગર્ભા બહેનો વિશે માહિતી મેળવી વધુમાં મેડિકલ વિશે જાણકારી આપી જરૂર જણાય તો તેઓને હેલ્પલાઈન નંબર પર કોલ કરવા પણ જણાવવામાં આવ્યું છે.






Latest News