હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના વઘાસીયા પાસે વાડીમાં પાણીની કુંડીમાં ડૂબી જવાથી ત્રણ વર્ષના બાળકનું મોત


SHARE













વાંકાનેરના વઘાસીયા પાસે વાડીમાં પાણીની કુંડીમાં ડૂબી જવાથી ત્રણ વર્ષના બાળકનું મોત

વાંકાનેર નજીક વઘાસીયા પાસે આવેલ વાડીમાં પાણીની કુંડીમાં ડૂબી જવાથી ત્રણ વર્ષના બાળકનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવ અંગેની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના રહેવાસી અને હાલમાં વાંકાનેર નજીક આવેલ વઘાસીયા ગામ પાસે ઇમતેખાબભાઈ હાજીભાઈની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા શ્રવણભાઈ માનકરનો ત્રણ વર્ષનો દીકરો રાજમોહન શ્રવણભાઈ માનકર જાતે માલવી આદિવાસી ત્યાં વાડીમાં આવેલ પાણીની કુંડીમાં ડૂબી જતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું ત્યાર બાદ તેના બોડીને પીએમ માટે વાંકાનેરની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવ અંગેની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની આગળ વધુ તપાસ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના મુકેશભાઈ વાસાણી ચલાવી રહ્યા છે

યુવાનનું મોત

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવતા સરતાનપર રોડ ઉપર આવેલ ફેઝન વિટ્રીફાઈડ નામના કારખાનામાં રહેતો અને મજૂરી કામ કરતો સાધુભાઈ ભગવાનસિંહ બારેલા (30) નામના યુવાનને પેટમાં દુખાવો ઉપડ્યો હતો જેથી કરીને તેને સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવ અંગેની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના જે.જી. ઝાલા ચલાવી રહ્યા છે






Latest News