મોરબીમાં મચ્છુ માતાજીની રથયાત્રાનું ભાજપ, હિન્દુ યુવા વાહિની અને એસપીએ કર્યું સ્વાગત
SHARE
મોરબીમાં મચ્છુ માતાજીની રથયાત્રાનું ભાજપ, હિન્દુ યુવા વાહિની અને એસપીએ કર્યું સ્વાગત
અષાઢી બીજના દિવસે મોરબીમાં મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રા નીકળી હતી જેમાં હજારોની સંખ્યામાં રબીર અને ભરવાડ સમાજના લોકો જોડાયા હતા ત્યારે મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઇ જારીયા, જિલ્લા ભાજપના મહામંત્રી જયુભા જાડેજા, શહેર ભાજપના મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયા તેમજ મોરબી જિલ્લાના એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું આવી જ રીતે હિન્દુ યુવા વાહિની અધિકારી તથા કાર્યકર્તા ભાઈઓ દ્વારા અષાઢી બીજની મચ્છુમાંની રથયાત્રાને નહેરૂ ગેઇટ ચોકમાં ફુલ હારથી વધાવવામાં આવી હતી ત્યારે હિન્દુ યુવા વાહિનીના મોરબી જિલ્લા અધ્યક્ષ કે.બી. બોરીચા, વિવેકભાઈ પટેલ, જીતુભાઈ શેતા, સનીભાઈ કલોલા, વૈભવભાઈ પટેલ, વિજયભાઈ કુંભારવાડીયા, જગદીશભાઈ રાઠોડ, દિપેશભાઈ ભાનુશાળી, ચેતનભાઇ પાટડીયા, કિશનભાઇ રાવળદેવ, જગદીશભાઈ ઠાકોર અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.









