મોરબીના ચાંચાપર ગામે શાળામાં વ્યસન જાગૃતિ માટે ચિત્ર સ્પર્ધા યોજાઇ
મોરબી-વાંકાનેર તાલુકામાં સરકારી ખરાબામાં કારખાના ખડકી દેનારાઓની સામે લેન્ડ ગ્રેબિંગ કરો: એનએસયુઆઈ
SHARE
મોરબી-વાંકાનેર તાલુકામાં સરકારી ખરાબામાં કારખાના ખડકી દેનારાઓની સામે લેન્ડ ગ્રેબિંગ કરો: એનએસયુઆઈ
મોરબી તાલુકાનાં પાનેલી અને વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે સરકારી જમીન ઉપર સીરામીક કારખાનાના બાંધકામ થઈ ગયેલ છે અને આ જમીન પચાવી પાડી હોવાનો આક્ષેપ કરીને સરકારી ખરાબાની જમીન ઉપર પેશકદમી કરનારાઓની સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધવાની માંગ કરાઇ છે અને કલેક્ટરને આવેદનપત્ર આપીને રજુઆત કરવામાં આવી છે.
મોરબી જિલ્લા એનએસયુઆઈના પ્રમુખ સહિતના હોદેદારો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને સરકારી જમીન ઉપર દબાણ કરનારાઓની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવાની રજુઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, વાંકાનેર તાલુકાના સરતાનપર અને મોરબી તાલુકાનાં પાનેલી ગામે સરકારી ખરાબાની જમીન પર સીરામીક કારખાના વાળાએ અંદાજીત ૧૦ વિઘા જમીન ઉપર બાંધકામ કરી લીધેલ છે જેને હટાવવા માટે અગાઉ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ પગલાં લેવામાં આવેલ નથી જેથી કરીને કરોડોની જમીન પર પેશકદમી કરનારાઓની સામે લેન્ડ ગ્રેબીંગનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે અને દબાણ હટાવવાની રજૂઆત કરી છે આ તકે મોરબી જિલ્લા એનએસયુઆઈના પ્રમુખ ભાવિકભાઈ મૂછડિયા, યુવા કોંગ્રેસનાં પ્રવકતા પુષ્પરાજસિંહ જાડેજા, મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા, એનએસયુઆઈના ગુજરાતનાં મહામંત્રી કુલદીપસિંહ જાડેજા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા