મોરબીના પીપળી રોડ અને લીલાપર રોડેથી સગીરાના અપહરણ કરનારાઓ પકડાયા, જેલ હવાલે મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા 19 અસહાય માતાઓને રાશન કીટ અર્પણ મોરબી સહિત ગુજરાતના પ્રાથમિક શિક્ષકોને શિક્ષણ સિવાય અનેકવિધ કામગીરીઓનું ભારણ વધી જતાં મુંઝવણ અને મુશ્કેલીમાં વધારો મોરબીમાં જેહાદી માનસિકતાના પુતળા દહન કરીને હિંદુ સંગઠનોએ આવેદનપત્ર પાઠવ્યું આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું નિદ્રાધીન અવસ્થામાં હાર્ટ એટેકથી મોત આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે મોડી રાત સુધી મોબાઈલ જોતી બહેનને ભાઈએ ઠપકો આપતા કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં ઈસ્કોન હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાઇ


SHARE













મોરબીમાં ઈસ્કોન હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાઇ

મોરબીમાં ઈસ્કોન હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રથયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ત્યારે આ રથયાત્રામાં જગન્નાથજીની સાથે ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને પણ રાખવામા આવ્યા હતા અને રથયાત્રા પહેલા ભગવાનને છપ્પન ભોગનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો અને ત્યાર બાદ ભક્તિનગર સર્કલ પાસે આવેલ મોર્ડન હોલ ખાતેથી યાત્રા શરૂ કરવામાં આવી હતી અને ઉમિયા સર્કલ, નવા બસ સ્ટેન્ડ, ગાંધીચોક, નગર દરવાજા, રાવપર રોડથી મોર્ડન હોલ ખાતે યાત્રાને પુરી કરવામાં આવી હતી અને રથયાત્રાના રૂટ પર વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ,, હિન્દુ યુવા વાહિની અને રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના સ્વયંસેવકોએ  સેવા આપી હતી. આ તકે સંઘના પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક ડો. જયંતિભાઈ ભાડેશિયા, બગથળા નકલંક મંદિરના મહંત દામજીભગત સહિતના લોકો યોજાયા હતા તેમજ ખાસ કરીને આ રથયાત્રામાં ઇસ્કોન હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર સાથે જોડાયેલ રશિયા, કઝાકિસ્તાન, યુક્રેન, અમદાવાદ, રાજકોટ સહિતના ભક્તો આવ્યા હતા અને ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય શ્રીમદ્ એ.સી.ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ દ્વારા લિખિત પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર રથયાત્રા હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્રના સંચાલક હરેન્દ્ર મુરારી પ્રભુજીના નેતૃત્વમાં યોજાઈ હતી.






Latest News