મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં ઈસ્કોન હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાઇ


SHARE













મોરબીમાં ઈસ્કોન હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાઇ

મોરબીમાં ઈસ્કોન હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રથયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ત્યારે આ રથયાત્રામાં જગન્નાથજીની સાથે ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને પણ રાખવામા આવ્યા હતા અને રથયાત્રા પહેલા ભગવાનને છપ્પન ભોગનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો અને ત્યાર બાદ ભક્તિનગર સર્કલ પાસે આવેલ મોર્ડન હોલ ખાતેથી યાત્રા શરૂ કરવામાં આવી હતી અને ઉમિયા સર્કલ, નવા બસ સ્ટેન્ડ, ગાંધીચોક, નગર દરવાજા, રાવપર રોડથી મોર્ડન હોલ ખાતે યાત્રાને પુરી કરવામાં આવી હતી અને રથયાત્રાના રૂટ પર વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ,, હિન્દુ યુવા વાહિની અને રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના સ્વયંસેવકોએ  સેવા આપી હતી. આ તકે સંઘના પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક ડો. જયંતિભાઈ ભાડેશિયા, બગથળા નકલંક મંદિરના મહંત દામજીભગત સહિતના લોકો યોજાયા હતા તેમજ ખાસ કરીને આ રથયાત્રામાં ઇસ્કોન હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર સાથે જોડાયેલ રશિયા, કઝાકિસ્તાન, યુક્રેન, અમદાવાદ, રાજકોટ સહિતના ભક્તો આવ્યા હતા અને ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય શ્રીમદ્ એ.સી.ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ દ્વારા લિખિત પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર રથયાત્રા હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્રના સંચાલક હરેન્દ્ર મુરારી પ્રભુજીના નેતૃત્વમાં યોજાઈ હતી.






Latest News