મોરબીના પીપળી રોડ અને લીલાપર રોડેથી સગીરાના અપહરણ કરનારાઓ પકડાયા, જેલ હવાલે મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા 19 અસહાય માતાઓને રાશન કીટ અર્પણ મોરબી સહિત ગુજરાતના પ્રાથમિક શિક્ષકોને શિક્ષણ સિવાય અનેકવિધ કામગીરીઓનું ભારણ વધી જતાં મુંઝવણ અને મુશ્કેલીમાં વધારો મોરબીમાં જેહાદી માનસિકતાના પુતળા દહન કરીને હિંદુ સંગઠનોએ આવેદનપત્ર પાઠવ્યું આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું નિદ્રાધીન અવસ્થામાં હાર્ટ એટેકથી મોત આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે મોડી રાત સુધી મોબાઈલ જોતી બહેનને ભાઈએ ઠપકો આપતા કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીની પ્રભુકૃપા ટાઉનશિપ સહિતની સોસાયટીમાં પાણીના ધાંધિયા: પંચાયત ઓફિસે બઘડાટી


SHARE













મોરબીની પ્રભુકૃપા ટાઉનશિપ સહિતની સોસાયટીમાં પાણીના ધાંધિયા: પંચાયત ઓફિસે બઘડાટી

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ પ્રભુકૃપા ટાઉનશિપ સહિતની સોસાયટીમાં પાણીના ધાંધિયા છે જેથી કરીને લોકોએ ગ્રામ પંચાયત કચેરીએ જઈને બઘડાટી બોલાવી હતી અને સમયસર તેમજ પૂરતા પ્રમાણમા પાણી આપવાની માંગ કરી હતી

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ પ્રભુકૃપા ટાઉનશીપ અને સોમનાથ ટાવરમાં પાણીના ધાંધીયા છે જેની વારંવાર રજૂઆત કરવામાં આવે છે તો પણ કોઈ કામ કરવામાં આવતું નથી જેથી કરીને લોકો ગ્રામ પંચાયત કચેરીએ આવ્યા હતા અને ત્યાં તલાટી મંત્રી સમક્ષ પાણી નિયમિત અને પૂરતા પ્રમાણમા આપવા માટેની માંગ કરી હતી હાલમાં પાણી ન મળતું હોવાથી અઢી હજાર જેટલા લોકો હેરાન છે જો કે, અગાઉ જે લાઇન માંથી પાણી આવતું હતું તે નિયમિત રીતે આવતું હતું જો કે, હાલમાં જે લાઇન માંથી પાણી આપવામાં આવે છે તેમાંથી પાણી જ આવતું નથી જેથી લોકો હેરાન છે ત્યારે ગ્રામ પંચાયતના તલાટીમંત્રીએ કહ્યું હતું કે, ગામમાં હાલમાં વસ્તીની સામે ૧૦ એમ.એલ.ડી. પાણીની જરૂરીયાત છે. તેની સામે માત્ર ૪ એમ.એલ.ડી. પાણી આપવામાં આવે છે જેથી કરીને પાણીનો પ્રશ્ન ઊભો થયેલ છે 






Latest News