મોરબીની પ્રભુકૃપા ટાઉનશિપ સહિતની સોસાયટીમાં પાણીના ધાંધિયા: પંચાયત ઓફિસે બઘડાટી
SHARE
મોરબીની પ્રભુકૃપા ટાઉનશિપ સહિતની સોસાયટીમાં પાણીના ધાંધિયા: પંચાયત ઓફિસે બઘડાટી
મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ પ્રભુકૃપા ટાઉનશિપ સહિતની સોસાયટીમાં પાણીના ધાંધિયા છે જેથી કરીને લોકોએ ગ્રામ પંચાયત કચેરીએ જઈને બઘડાટી બોલાવી હતી અને સમયસર તેમજ પૂરતા પ્રમાણમા પાણી આપવાની માંગ કરી હતી
મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ પ્રભુકૃપા ટાઉનશીપ અને સોમનાથ ટાવરમાં પાણીના ધાંધીયા છે જેની વારંવાર રજૂઆત કરવામાં આવે છે તો પણ કોઈ કામ કરવામાં આવતું નથી જેથી કરીને લોકો ગ્રામ પંચાયત કચેરીએ આવ્યા હતા અને ત્યાં તલાટી મંત્રી સમક્ષ પાણી નિયમિત અને પૂરતા પ્રમાણમા આપવા માટેની માંગ કરી હતી હાલમાં પાણી ન મળતું હોવાથી અઢી હજાર જેટલા લોકો હેરાન છે જો કે, અગાઉ જે લાઇન માંથી પાણી આવતું હતું તે નિયમિત રીતે આવતું હતું જો કે, હાલમાં જે લાઇન માંથી પાણી આપવામાં આવે છે તેમાંથી પાણી જ આવતું નથી જેથી લોકો હેરાન છે ત્યારે ગ્રામ પંચાયતના તલાટીમંત્રીએ કહ્યું હતું કે, ગામમાં હાલમાં વસ્તીની સામે ૧૦ એમ.એલ.ડી. પાણીની જરૂરીયાત છે. તેની સામે માત્ર ૪ એમ.એલ.ડી. પાણી આપવામાં આવે છે જેથી કરીને પાણીનો પ્રશ્ન ઊભો થયેલ છે