મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ટંકારા શિશુ મંદિર દ્વારા મેડિકલ કેમ્પ યોજાશે મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુરી કરાઇ તસ્કરોનું નાઈટ પેટ્રોલીંગ ચાલુ !: માળિયા (મિં)ના રોહિશાળા ગામે એક જ રાતમાં 3 મકાન, 2 મંદિર, દુકાન અને ગ્રામ પંચાયતમાં ચોરી મોરબીમાં શિવરાત્રીના દિવસે દુકાનો ખુલ્લી રાખીને નોનવેજનું વેચાણ કરનારા બે વેપારી સામે ગુનો નોંધાયો મોરબી જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ નિર્મળાબેન હડિયલનું અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા કરાયું સન્માન મોરબી જીલ્લામાં CET ની પરીક્ષા વધુ માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓએ કર્યો સાયન્સ સીટીનો પ્રવાસ મોરબીમાં લોકોને નાના દરની ચલણી નોટ આપવાનું કહીને અઢી લાખની ઠગાઇ કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં સોની યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકિશોરને પોલીસે હસ્તગત કર્યા: હથિયાર-વાહન કબ્જે
Breaking news
Morbi Today

હળવદના નવા દેવળીયામાં વરસાદી પાણીનો નિકાલ કરવા ગાંધીનગર સુધી રજૂઆત છતાં પરિણામ શૂન્ય


SHARE













હળવદના નવા દેવળીયામાં વરસાદી પાણીનો નિકાલ કરવા ગાંધીનગર સુધી રજૂઆત છતાં પરિણામ શૂન્ય

હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે શેરીમાં વરસાદ રહી ગયા પછી ઘણા દિવસો સુધી વરસાદી પાણી ભરાયેલું રહે છે અને આ બાબતે વરસાદી પાણીનો કાયમી નિકાલ કરવા માટે થઈને સ્થાનિક લોકો દ્વારા ગ્રામ પંચાયતથી લઈને ગાંધીનગર સુધી અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પણ ગામના લોકોનો આ પ્રશ્ન ઉકેલતો નથી જેથી કરીને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ અંગે માહિતી આપતા નવા દેવળીયા ગામે રહેતા અમૃતલાલ કાનજીભાઈએ જણાવ્યું હતું કે તેઓના ઘરની આસપાસના વિસ્તારમાં વરસાદ વિરામ લઈ લે ત્યાર પછી પણ ઘણા દિવસો સુધી વરસાદી પાણી ભરાયેલું રહે છે જેથી મચ્છરનો ઉપદ્રવ અને ગંદકી સહિતના પ્રશ્નો ઊભા થાય છે જેથી કરીને વરસાદી પાણીનો યોગ્ય કાયમી નિકાલ કરવામાં આવે તેની અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પણ તેને ધ્યાને લઈને કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. જેથી કરીને સ્થાનિક લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે








Latest News