મોરબીમાં પાર્કિંગ મુદે વેપારીને માર મારવાના ગુનામાં સિક્યુરિટીના ચાર માણસોની ધરપકડ
હળવદના નવા દેવળીયામાં વરસાદી પાણીનો નિકાલ કરવા ગાંધીનગર સુધી રજૂઆત છતાં પરિણામ શૂન્ય
SHARE
હળવદના નવા દેવળીયામાં વરસાદી પાણીનો નિકાલ કરવા ગાંધીનગર સુધી રજૂઆત છતાં પરિણામ શૂન્ય
હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે શેરીમાં વરસાદ રહી ગયા પછી ઘણા દિવસો સુધી વરસાદી પાણી ભરાયેલું રહે છે અને આ બાબતે વરસાદી પાણીનો કાયમી નિકાલ કરવા માટે થઈને સ્થાનિક લોકો દ્વારા ગ્રામ પંચાયતથી લઈને ગાંધીનગર સુધી અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પણ ગામના લોકોનો આ પ્રશ્ન ઉકેલતો નથી જેથી કરીને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ અંગે માહિતી આપતા નવા દેવળીયા ગામે રહેતા અમૃતલાલ કાનજીભાઈએ જણાવ્યું હતું કે તેઓના ઘરની આસપાસના વિસ્તારમાં વરસાદ વિરામ લઈ લે ત્યાર પછી પણ ઘણા દિવસો સુધી વરસાદી પાણી ભરાયેલું રહે છે જેથી મચ્છરનો ઉપદ્રવ અને ગંદકી સહિતના પ્રશ્નો ઊભા થાય છે જેથી કરીને વરસાદી પાણીનો યોગ્ય કાયમી નિકાલ કરવામાં આવે તેની અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પણ તેને ધ્યાને લઈને કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. જેથી કરીને સ્થાનિક લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે