હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

રાજ્યસભામાં બિનહરીફ વિજેતા જાહેર થતાં વાંકાનેરના મહારાણા કેસરીદેવસિંહ ઝાલાએ જડેશ્વર મહાદેવને શીશ ઝુકાવ્યું


SHARE













રાજ્યસભામાં બિનહરીફ વિજેતા જાહેર થતાં વાંકાનેરના મહારાણા કેસરીદેવસિંહ ઝાલાએ જડેશ્વર મહાદેવને શીશ ઝુકાવ્યું

ગુજરાતમાં રાજ્યસભાના ત્રણ સંસદો માટે ભાજપ દ્વારા જે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા અને ફોર્મ ભરવામાં આવ્યા હતા તે ત્રણેય ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે ત્યારે તે ત્રણ પૈકીના એક મોરબી જિલ્લાના વાંકાનેરના મહારાણા કેસરીદેવસિંહ ઝાલા રાજ્યસભાના બિનહરીફ સાંસદ બન્યા છે ત્યારે તેઓએ બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવતાની સાથે જ તેઓ પ્રથમ મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકામાં રતન ટેકરી ઉપર બિરાજતા સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોચાયા હતા અને મહાદેવજીનું પૂજન અર્ચન કરીને મહાદેવજીને શીશ ઝુકાવ્યું હતું અને ભવિષ્યમાં સારામાં સારા લોક ઉપયોગી કામ તેમના માધ્યમથી થાય તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ મહારાણા કેસરીદેવસિંહ ઝાલાના પિતાનું અવસાન થયા બાદ તેમની રાજતિલક વિધિનો પાંચ દિવસનો કાર્યક્રમ યોજાયો હતો અને ત્યારે પણ આ કાર્યક્રમની શરૂઆત પ્રથમ દિવસે સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂજન અર્ચન કરીને કરવામાં આવી હતી ત્યારબાદ રાજતિલક વિધિ અંતર્ગત જુદા જુદા કાર્યક્રમો યોજાયા હતા અને હાલમાં પણ તેઓ જ્યારે રાજ્યસભાના બિનહરીફ સાંસદ તરીકે જાહેર થઈ ગયા છે ત્યારે સર્વપ્રથમ તેઓએ સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરે મહાદેવના આશીર્વાદ લીધા હતા ત્યારે તેઓના ધર્મપત્ની પણ ત્યાં તેઓની સાથે હાજર રહ્યા હતા






Latest News