માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબીના લાભ લક્ષ્મી એપાર્ટમેન્ટમાં ભાગવત કથાનું આયોજન


SHARE













મોરબીના લાભ લક્ષ્મી એપાર્ટમેન્ટમાં ભાગવત કથાનું આયોજન

મોરબીના લાભ લક્ષ્મી એપાર્ટમેન્ટ શનાળા રોડ નવા બસ સ્ટેન્ડ સામે ભાગવત કથાનું તા.૨૪-૭ થી ૩૦-૭ દરોજ બપોરે ૩ થી ૬ આયોજન કરાયેલ છે. સર્વ ધર્મપ્રેમીઓને જણાવવામાં આવેલ છે કે શ્રી અખિલ બ્રહ્માંડના અધિપતિ ભગવાન શ્રીકૃષ્ણની યશોગાથા મોરબીની પવિત્ર ધરતી ઉપર પતિત પાવની એવી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના માધ્યમથી શુભ આયોજન કરવામાં આવેલ કરેલ છે.આ દિવ્ય જ્ઞાનયજ્ઞમાં જીવ, જગત અને જગદીશનો સબંધ સમજી જીવનને નારાયણ પ્રિય બનાવી સાર્થક કરવામાં સંસારરૂપી ગૃહસ્થ ધર્મને સમજવા ઈશ્વરના દિવ્ય આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે સૌને પધારવા જાહેર નિમંત્રણ છે.

કથા પ્રારંભ અધિક શ્રાવણસુદ ૬ ને સોમવાર તા.૨૫-૭ થી થયેલ છે અને કથા વિરામ અધિક શ્રાવણ સુદ ૧૧ ને રવિવાર તા.૩૦-૭ ના રોજ થશે.આ કથા દરમિયાન પોથીયાત્રા, શ્રીમદ ભાગવત માહાત્મય, સાંખ્યોપ્દેશ, કપિલ પ્રાગટ્ય, નરસિંહ પ્રાગટ્ય, વામન પ્રાગટ્ય, શ્રીરામ જન્મ, શ્રીકૃષ્ણ જન્મ, ગોવર્ધન પૂજા, રૂક્ષ્મણી વિવાહ, શ્રી સુદામાચરિત્ર, પરીક્ષિત મોક્ષ જેવા પાવન પ્રસંગો ઉજવાશે કથાના વક્તા તરીકે  મોરબીના સુપ્રસિદ્ધ ભાગવતાચાર્ય શાસ્ત્રીજી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવે દ્વારા આ દિવ્યકથાનું રસપાન કરાવશે.કથા લાભ લક્ષ્મી એપાર્ટમેન્ટ શનાળા રોડ નવા બસ સ્ટેન્ડ સામે મોરબી ખાતે યોજાએલ છે.કથાનો સમય બપોરે ૩ થી ૬ કલાક સુધીનો રહેશે.કથા શ્રવણ માટે  મહિલા મંડળો તેમજ ગોપી મંડળોને તેમજ જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવેલ છે






Latest News