મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનના સમર્થનમાં આજે હળવદ માર્કેટ યાર્ડ સદંતર બંધ મોરબીના નીચી માંડલ ગામે જુના ઝગડાનો રોષ રાખી યુવતીનો પીછો કરી છેડતી : ગુનો નોંધાયો વાંકાનેર વિસ્તારમાં વીજલાઇનના મુદ્દે ખેડૂતોમાં આક્રોશ વળતર બાબતે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આંદોલનની ચેતવણી: જિલ્લા કલેક્ટર દ્વારા ખેડૂતો સાથે બેઠક મોરબી યુવા શક્તિ ફાઉન્ડેશન અને ભોલેનાથ જીવદયા ગ્રુપ દ્વારા જડેશ્વર વિડી વિસ્તારમાં કીડિયારું મહોત્સવ યોજાયો મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે એકટીવા ટ્રક સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવતી રાજકોટ ખસેડાઈ વાંકાનેરના રાતાવિરડા ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત: મોરબીના કોયલી ગામ નજીક ડેમમાં ડૂબી જવાથી વૃદ્ધાનું મોત મોરબીના ભરતનગર ગામ પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા ઈજા પામેલ દંપતી સારવારમાં વાંકાનેરના રાતાવીરડા ગામના યુવાન પાસેથી વ્યાજખોરોએ લઈ લીધેલ દાગીના, બાઇક અને કાર પોલીસે કબ્જે કરીને 10.49 લાખનો મુદમાલ પાછો અપાવ્યા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં કુલ ૩.૦૬ લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર


SHARE











મોરબી જિલ્લામાં કુલ ૩.૦૬ લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર

મોરબી જિલ્લામાં હાલ ખરીફ પાકનું મોટાભાગનું વાવેતર પૂર્ણ થઈ ગયું છે. આ  વાવેતર કુલ ૩.૦૬ લાખ હેક્ટર વિસ્તારમાં કરવામાં આવેલ છે. જેમાં મુખ્ય પાકો કપાસ, મગફળી, તલ, દિવેલા, શાકભાજી તેમજ અન્ય પાકોમાં ગુવાર, તુવેર, સોયાબીન અને ઘાસચારોનું વાવેતર કરવામાં આવ્યું છે.

સામાન્ય રીતે ખેડૂતો ખેતરમાં ડી.એ.પી., એસ.એસ.પી. અને એન.પી.કે. ખાતરનો ઉપયોગ કરતા હોય છે ઉપરાંત પૂર્તિ ખાતર તરીકે યુરીયાનો ઉપયોગ કરે છે. ત્યારે મોરબી જિલ્લાના તમામ તાલુકા સેન્ટર પર રાસાયણિક ખાતરનો જથ્થો ઉપલબ્ધ છે, જેમાં ડી.એ.પી- ૫૬૮૬.૩૫ , યુરિયા- ૩૭૭૧.૯૨ , એન.પી.કે.- ૭૪૨૦.૭૬ અને એસ.એસ.પી.- ૨૨૪૫.૩૬ મે.ટન ઉપલબ્ધ છે જો કોઈ ખેડૂત ખાતર ખરીદવા માટે ઇચ્છુક હોય તે ખેડૂતો ખાતરની ખરીદી શકશે. ખેડૂતોએ ખોટી અફવાઓથી ગેર માર્ગે ન દોરાતા જરૂરિયાત ખાતર ખરીદવું અને ખાતરનો નો ખોટો સંગ્રહ ટાળવો.

વધુમાં ખેડૂત ખાતેદારને જણાવવાનું કે રાસાયણિક ખાતરોના વિતરણની પદ્ધતિમાં પારદર્શિતા રાખવામાં આવશે ઉપરાંત ખેતી ઉપયોગી રાસાયણિક ખાતરોનાં ઔદ્યોગિક વપરાશ પર અંકુશ, ડીઝીટલ પેમેન્ટને પ્રોત્સાહન, ખાતર વિક્રેતા પાસે ખાતરના ઉપલબ્ધ જથ્થા અંગેની ઓનલાઇન માહિતી મળી રહે, ખેડૂતોને સમયસર રાસાયણિક ખાતર ઉપ્લબ્ધ થાય તે હેતુસર ભારત સરકાર દ્વારા સબસીડાઈઝ્ડ રાસાયણિક ખાતરોનું વેચાણ પી.ઓ.એસ. મશીનથી કરવામાં આવશે. તેમજ મોરબી જિલ્લાના તમામ ખેડૂત ખાતેદારોએ રાસાયણિક ખાતરની ખરીદી સમયે પોતાનું આધારકાર્ડ અવશ્ય સાથે રાખવા નાયબ ખેતી નિયામક (વિ.) મોરબીની યાદીમાં જણાવાયું છે.






Latest News