મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનના સમર્થનમાં આજે હળવદ માર્કેટ યાર્ડ સદંતર બંધ મોરબીના નીચી માંડલ ગામે જુના ઝગડાનો રોષ રાખી યુવતીનો પીછો કરી છેડતી : ગુનો નોંધાયો વાંકાનેર વિસ્તારમાં વીજલાઇનના મુદ્દે ખેડૂતોમાં આક્રોશ વળતર બાબતે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આંદોલનની ચેતવણી: જિલ્લા કલેક્ટર દ્વારા ખેડૂતો સાથે બેઠક મોરબી યુવા શક્તિ ફાઉન્ડેશન અને ભોલેનાથ જીવદયા ગ્રુપ દ્વારા જડેશ્વર વિડી વિસ્તારમાં કીડિયારું મહોત્સવ યોજાયો મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે એકટીવા ટ્રક સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવતી રાજકોટ ખસેડાઈ વાંકાનેરના રાતાવિરડા ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત: મોરબીના કોયલી ગામ નજીક ડેમમાં ડૂબી જવાથી વૃદ્ધાનું મોત મોરબીના ભરતનગર ગામ પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા ઈજા પામેલ દંપતી સારવારમાં વાંકાનેરના રાતાવીરડા ગામના યુવાન પાસેથી વ્યાજખોરોએ લઈ લીધેલ દાગીના, બાઇક અને કાર પોલીસે કબ્જે કરીને 10.49 લાખનો મુદમાલ પાછો અપાવ્યા
Breaking news
Morbi Today

મોરબી સહિત ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવા ટેટ-ટાટ પાસ ઉમેદવારની માંગ


SHARE











મોરબી સહિત ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવા ટેટ-ટાટ પાસ ઉમેદવારની માંગ

મોરબીના ટેટ અને ટાટ પાસ ઉમેદવારની કાયમી શિક્ષક તરીખે ભરતી કરવાના બદલે જ્ઞાન સહાયક યોજના અમલમાં મૂકી છે જેથી કરીને હાલમાં ટેટ અને ટાટ પાસ ઉમેદવાર દ્વારા ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાને લેખિતમાં રજૂઆત કરીને ટેટ અને ટાટ પાસ ઉમેદવારની કાયમી શિક્ષક તરીકે ભરતી કરવામાં આવે તેવી માંગ કરી છે

હાલમાં મોરબીના ટેટ અને ટાટ પાસ ઉમેદવારએ જે રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કેરાજ્યમાં શિક્ષણની પરિસ્થિતિ કથળી રહી છે ત્યારે ગુજરાતના દરેક વિદ્યાર્થીઓને ગુણવતાયુક્ત અને વિશ્વસ્તરીય શિક્ષણ મેળવે તે હેતુથી અને વિદ્યાર્થીઓના ભવિષ્યના પૂર્વ ઘડતર માટે રાજ્ય સરકાર શિક્ષકોની કાયમી ભરતી કરવી ખૂબ જ જરૂરી છે. તાજેતરમાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયક યોજના બહાર પાડવામાં આવી છે. જે અંતર્ગત ૧૧ માસના કરાર આધારિત ભરતી કરવામાં આવશે તેવો ગેર વ્યાજબી નિર્ણય લેવામાં આવ્યો છે. જેની સીધી અસર ગુજરાતના વિદ્યાર્થીઓના શિક્ષણ અને રાજ્યના વર્તમાન ટેટ અને ટાટ પાસ બેરોજગાર ઉમેદવાર પર થશે. જે વિદ્યાર્થીઓ ઉમેદવારોના બિલકુલ હિતમાં નથી. જો જ્ઞાન સહાયક યોજના અમલમાં આવશે તો કેટલાય વર્ષોથી રાત-દિવસ મહેનત કરીને ટેટ અને ટાટ જેવી દ્વિસ્તરીય પરીક્ષા પાસ કરેલા ઉમેદવારોનું સરકારી શિક્ષક બનવાનું સપનું રોળાઈ જશે અને તેમનું ભાવિ અંધકારમય બની જશે. અને ગુજરાતના ભવિષ્ય એવા વિદ્યાર્થીઓના શિક્ષણના હિતમાં અને હજારો ટેટ અને ટાટ પાસ બેરોજગાર ઉમેદવારોને કાયમી સરકારી શિક્ષકની રોજગારી મળી રહે તે માટે જ્ઞાન સહાયક કરાર આધારિત ભરતીની જગ્યાએ વહેલામાં વહેલી તકે કાયમી શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે તે અનિવાર્ય છે






Latest News