વાંકાનેરના તીથવા પાસે ખાણ ખનીજની રેડ: બે હિટાચી-એક ડમ્પર સહિત એક કરોડથી વધુનો મુદ્દામાલ કબજે
મોરબીમાં સ્વંય સૈનિક દળ દ્વારા એસસી-એસટી સમુદાય ઉપર અત્યાચારના વિરોધમાં રેલી-આવેદનપત્ર
SHARE
મોરબીમાં સ્વંય સૈનિક દળ દ્વારા એસસી-એસટી સમુદાય ઉપર અત્યાચારના વિરોધમાં રેલી-આવેદનપત્ર
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતી ઉપર થતા અત્યાચારના વિરોધમાં મોરબીમાં સ્વંય સૈનિક દળ દ્વારા રેલી કાઢવામાં આવી હતી અને મોરબી પાલિકા કચેરી પાસે આવેલ ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસેથી રેલી કાઢવામાં આવી હતી. જેમાં બાળકો સહિતના લોકો જોડાયા હતા અને મોરબીના સામાકાંઠે આવેલ કલેક્ટર કચેરીએ જઈને ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું બાદમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતી ઉપર થતા અત્યાચાર વધી રહ્યા છે જેથી કરીને અત્યાચાર કરનારઓની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરાઇ છે