હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના મકતાનપરથી ખાતર લેવા ગયેલા યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત


SHARE













વાંકાનેરના મકતાનપરથી ખાતર લેવા ગયેલા યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત

વાંકાનેર તાલુકાના મક્તાનપર ગામે રહેતો યુવાન ખાતર લેવા માટે વાંકાનેર આવ્યો હતો અને ત્યાંથી ડબલ સવારી બાઇકમાં તે પરત ગામ તરફ જઈ રહ્યો હતો ત્યારે વાંકાનેર જકાતનાકા પાસે તેના બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બે યુવાનોને ઈજા થઈ હતી જેથી ઈજા પામેલ હાલતમાં તેને સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા જો કે, રાજકોટ સારવાર દરમિયાન એક યુવાનનું મોત નીપજયું છે જેથી કરીને ચાર સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે હાલમાં હોસ્પિટલ મારફતે આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવા માટેની કવાયત કરવામાં આવી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના મક્તાનપર ગામે રહેતા વિક્રમભાઈ સવજીભાઈ રાણીવાડીયા (૩૦) અને આણંદપર ગામે રહેતા સુરેશભાઈ કરમશીભાઈ કેરવાડીયા (૩૩) મકતનપર ગામેથી ખાતર લેવા માટે બાઈક નંબર જીજે ૩૬ એ ૯૪૬૭ લઈને વાંકાનેર બાજુ આવ્યા હતા અને ત્યાંથી તેઓ પરત જઈ રહ્યા હતા ત્યારે વાંકાનેર જકાતનાકા પાસે ટ્રક નંબર જીજે ૧૦ ડબલ્યુ ૫૯૭૦ ના ચાલકે તેઓના ડબલ સવારી બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં વિક્રમભાઈ અને સુરેશભાઈને ઇજાઓ થયા હોવાથી ઇજાગ્રસ્તમાં તેઓને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન વિક્રમભાઈ રાણીવાડીયાનું મોત નીપજયું હતું જેથી કરીને અકસ્માતના બનાવની નોંધ કરી હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને આ બનાવની જાણ કરવાની કવાયત કરવામાં આવી છે અને વધુમાં સૂત્ર પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતક વિક્રમભાઈને સંતાનમાં એક દીકરો અને ત્રણ દીકરી છે અને અકસ્માતના બનાવના લીધે ચાર બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે






Latest News