મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં ઘર પાસે ઊભા રહેવાની ના કહેતા મારામારી: બંને પક્ષેથી પાંચને ઇજા


SHARE







મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં ઘર પાસે ઊભા રહેવાની ના કહેતા મારામારી: બંને પક્ષેથી પાંચને ઇજા

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં માળિયા વનાળીયા સોસાયટીમાં ઘર પાસે ઉભા રહેતા શખ્સોને ત્યાં ઉભા ન રહેવા માટે કહ્યું હતું જે બાબતનો રોષ રાખીને પાંચથી સાત જેટલા શખ્સોએ તેના ઘર પાસે આવીને ઈંટ પથ્થરના ઘા કરીને વૃદ્ધ, તેની પત્ની અને દીકરાને ઇજા કરી હતી જેથી ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને સમાપક્ષેથી પણ બે વ્યક્તિને ઇજા થયેલ હોવાથી તેને પણ સારવારમાં લઈને ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા દિલીપભાઈ મોહનભાઈ સોલંકી (૭૦), કેશિબેન દિલીપભાઈ સોલંકી (૬૫) અને હર્ષદભાઈ દિલીપભાઈ સોલંકી (૩૬) તેમજ મયુર લક્ષ્મણ આંબલીયા (૨૧) અને નિલેષ લક્ષ્મણ આંબલીયા (૧૮) ને ઇજા થયેલ હતી જેથી તે તમામને સારવાર માટે લઈને ગયા હતા ત્યારે મોરબીમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ હર્ષદભાઈ અને દિલીપભાઈને વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને વધુમાં ઈજા પામેલા હર્ષદભાઈ દિલીપભાઈ સોલંકી સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે હકેશ બીજલભાઇ આંબલીયા અને મનીષ રવજીભાઈ આંબલીયા સહિતના શખ્સો તેના ઘરની સામે ઊભા રહેતા હોય તેના ઘરમાં બહેન-દીકરીઓ હોય ઘર પાસે ઉભા ન રહેવા માટે કહ્યું હતું જે તેને સારું નહીં લાગતા પાંચથી સાત શખ્સો દ્વારા તેના ઘર પાસે આવીને ઈંટ માર મારવામાં આવ્યો હતો જેથી પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે






Latest News