ટંકારા તાલુકાના હમીરપર ગામ પાસે પવનચક્કીનો વિજ તાર અચાનક સળગી ગયો
મોરબીમાં બ્રહ્મલિન સંત કલ્યાણદાજી બાપુની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ ઉજવાઈ
SHARE
મોરબીમાં બ્રહ્મલિન સંત કલ્યાણદાજી બાપુની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ ઉજવાઈ
મોરબી માળીયા હાઇવે ઉપર ઉદાસીન આશ્રમ આવેલ છે ત્યાંના બ્રહ્મલિન સંત કલ્યાણદાસજી બાપુની પ્રથમ વાર્ષિક પુણ્ય તિથિ નિમિતે ઉદાસીન આશ્રમ પીપળી ખાતે જુદાજુદા કાર્યક્રમો યોજાયા હતા
મોરબીના ઉદાસીન આશ્રમ ખાતે ભજનનો કાર્યક્રમ રાખવામાં આવેલ, સવારે પાદુકા પૂજન કરવામાં આવ્યું હતું અને બાપુની સમાધિમાં પૂજન કરવામાં આવ્યું હતું ત્યારે પૂજ્ય શરદમુની બાપુ દ્વારા ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ભારત વર્ષમાથી ૨૫૦ સાધુ સંતો આવ્યા હતા આ પ્રસંગે મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, ચંદ્રકાન્ત દફતરી, રાકેશભાઈ અમૃતિયા, અનોપસિંહ જાડેજા, ભુપતભાઇ (મહેશ હોટલ), કાનજીભાઈ પટેલ (પીપળી) અને સમસ્ત પીપળીના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા