આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામેથી નાસ્તો લેવા ગયેલ યુવતી ગુમ


SHARE













મોરબીના લાલપર ગામેથી નાસ્તો લેવા ગયેલ યુવતી ગુમ

મોરબીના લાલપર ગામે કુંજગલી સોસાયટીમાં રહેતા પરિવારની દીકરી ઘરેથી નાસ્તો લેવા જવાનું કહીને બહાર નીકળી હતી ત્યારે બાદ છેલ્લા બે દિવસથી તે ગુમ થઈ ગયેલ છે જેથી કરીને ગુમ થયેલ યુવતીના પિતા દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે યુવતી ગુમ થઈ અંગેની ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે ગુમસુધા ફરિયાદ નોધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના કટારીયા ગામના રહેવાસી અને હાલમાં મોરબી નજીકના લાલપર ગામે આવેલ કુંજગલી સોસાયટીમાં રહેતા રમેશભાઈ ઉર્ફે રાયમલભાઈ ટપુભાઈ ધરજીયા જાતે કોળી (૫૦)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેની દીકરી માયાબેન ધરજીયા (૧૯) ગુમ થઈ હોવા અંગેની ગુમસુધા ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યૂ છે કે ગત તા.૨-૮ ના રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી નાસ્તો લેવા માટે ગામમાં જાઉં છું તેવું કહીને નીકળ્યા બાદ તે ઘરે પરત આવેલ નથી જેથી કરીને છેલ્લા બે દિવસથી માયાબેન ગુમ થયેલ હોય તેના પિતા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે યુવતીને શોધવા માટે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી છે આ અંગેની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે.

વૃદ્ધને રાજકોટ ખસેડાયા

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ફૂટવેરની દુકાન પાસેથી ઈજાગ્રસ્ત હાલતમાં મળેલા વૃદ્ધને મોરબી સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને ત્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે હાલ રાજકોટ ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે. એ ડિવિઝન પોલીસસુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠે આવેલ માળિયા ફાટક પાસે રહેતા અનુભાઈ સવજીભાઈ નામના ૫૫ વર્ષીય આધેડને મોરબીના રવાપર રોડ ઉપર આવેલ રજાક ફૂટવેર નામની દુકાન પાસેથી ૧૦૮ વડે સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં તેઓને સારવાર આપવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા છે હાલ આ બનાવ અંગે મોરબી એ ડિવિઝન પોલીસ મથકના જયપાલસિંહ જાડેજા દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.ઇજાગ્રત અનુભાઈ હાલ બેભાન હાલતમાં રાજકોટ હોવાનું જાણવા મળેલ છે.પરીવારના સભ્યોનો ભેટો થયેલ ન હોય કોઇ ઓળખતુ હોય તો એ ડિવિઝન પોલીસ મથકે જયપાલસિંહનો સંપર્ક કરે તેમ યાદીમાં જણાવવામાં આવેલ છે.






Latest News