હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક સૌરાષ્ટ્ર જનતા ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને જીવન ટૂંકાવ્યું


SHARE













વાંકાનેર નજીક સૌરાષ્ટ્ર જનતા ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને જીવન ટૂંકાવ્યું

વાંકાનેરમાંથી પસાર થતી સૌરાષ્ટ્ર જનતા ટ્રેનના રેલ્વે ટ્રેક ઉપર સૂઈ જઈને અજાણ્યા ૪૦ વર્ષના યુવાને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે થઈને હાલમાં વાંકાનેર પોલીસ દ્વારા આગળની તજવીક શરૂ કરવામાં આવી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાંથી રેલ્વે ટ્રેક ઉપરથી સૌરાષ્ટ્ર જનતા ટ્રેન બપોરના પોણા ચારેક વાગ્યાના અરસામાં પસાર થઈ રહી હતી ત્યારે કોઈ અજાણ્યા ૪૦ વર્ષના યુવાને રેલવે ટ્રેક ઉપર સૂઈ જઈને રેલ્વે ટ્રેન હેઠળ આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને મનદીપસિંહ જીતેન્દ્રસિંહ ઝાલા રહે. પ્રતાપ ચોક વાંકાનેર વાળા વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની તેમના દ્વારા વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતક યુવાની ઓળખ મેળવવા માટે થઈને વાંકાનેર સિટી પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે આ બનાવની આગળની વધુ તપાસ વનરાજસિંહ અભેસિંહ ઝાલા ચલાવી રહ્યા છે

યુવાન સારવારમાં
ટંકારા તાલુકાના ઓળ ગામે રહેતો અનિલભાઈ ભનુભાઈ કેરવાડીયા (૨૫) નામનો યુવાન ઓળ ગામે હતો ત્યારે ત્યાં કોઈ કારણોસર તે બેટરીમાં નાખવાનું પ્રવાહી પી ગયો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરમાં આવેલ મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ એચ.એમ. ચાવડા દ્વારા કરવામાં આવી હતી જોકે, આ બનાવ ટંકારા તાલુકા પોલીસનો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવા માટેની કવાયત કરવામાં આવી છે






Latest News