મોરબીમાં આજ રાતના સતવારા સમાજ સંગઠન દ્રારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, રવિવારે રાતના ભારતીય વિચાર મંચ દ્વારા યુવા મંચ કાર્યક્રમનું આયોજન મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતીદેવડીમાં અગાઉ આપઘાતનો પ્રયાસ કરનાર યુવતીનું મોત


SHARE







વાંકાનેરના રાતીદેવડીમાં અગાઉ આપઘાતનો પ્રયાસ કરનાર યુવતીનું મોત

વાંકાનેર નજીક આવેલ રાતીદેવડી ખાતે રહેતી યુવતીએ અગાઉ એસિડ પી લીધું હતું જેથી કરીને તેને સારવાર માટે અમદાવાદ સુધી લઈ ગયા હતા અને ત્યાંથી રજા આપ્યા બાદ રાતીદેવડી ગામે લઈ આવ્યા હતા અને ત્યાં તે યુવતીનું મોત નીપજયું છે જેની મૃતક યુવતીના ભાઈએ વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેરના રાતીદેવડી ખાતે રહેતા હિતેશભાઈ કાંતિલાલ વોરા (૨૪)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી કે, તેમના બહેન વૈશાલીબેન ઉર્ફે સંગીતાબેન કાંતિલાલ વોરા (૨૧) ઘરે કંઈ બોલતા ચાલતા ન હોય અને તેનું શરીર ઠંડું પડી ગયું હોય મરણ ગયેલ છે જે અંગેની પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં તેને જણાવ્યું હતું કે, ગત જાન્યુઆરી મહિનામાં તેના બહેન વૈશાલીબેન એસિડ પી ગયા હતા જેથી તેને પ્રથમ વાંકાનેર ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ અને ત્યાંથી અમદાવાદ સુધી લઈ ગયા હતા અને અમદાવાદ ખાતે તેને સારવારમાંથી રજા આપ્યા બાદ તેને રાતીદેવડી ગામ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેનું મોત નીપજયું છે હાલમાં વાંકાનેર સિટી પોલીસ દ્વારા આ બનાવાની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. ડી.વી. કાનાણી ચલાવી રહ્યા છે






Latest News