મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન
Breaking news
Morbi Today

મોરબીના ભડીયાદ રોડે કંપનીમાં મારામારી: એક મહિલા સહિત પાંચને ઇજા


SHARE







મોરબીના ભડીયાદ રોડે કંપનીમાં મારામારી: એક મહિલા સહિત પાંચને ઇજા

મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ ગોલ્ડન યલો કંપનીમાં મારામારીનો બનાવ બનેલ હતો ત્યારે ત્યાં કારખાનામાં જ રહેતા અને મજૂરી કામ કરતા એક જ પરિવારના એક મહિલા સહિતને પાંચ વ્યક્તિઓને ઇજા થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ ગોલ્ડન યલો કંપનીમાં રહેતા અને મજૂરી કામ કરતા દિનેશભાઈ બુટાભાઈ શ્રીવાસ્તવ (૨૪), સંજયભાઈ બુટાભાઈ શ્રીવાસ્તવ (૩૫)મ સુરેશભાઈ બુટાભાઈ શ્રીવાસ્તવ (૩૮), ઉમેશભાઈ બુટાભાઈ શ્રીવાસ્તવ (૩૩) અને રનુબેન બુટાભાઈ શ્રીવાસ્તવ (૬૦)ને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને પ્રાથમિક સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એન.જે. ખડીયા ચલાવી રહ્યા છે વધુમાં સૂત્ર પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે યુનિટની અંદર મારામારીનો બનાવ બન્યો હતો જેમાં એક જ પરિવારના પાંચ વ્યક્તિઓને ઈજા થઈ છે જો કે, કયા કારણોસર મારામારીનો બનાવ બન્યો હતો તે દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે

મોબાઈલ ચોરી

હળવદ તાલુકાના ટીકર ખાતે રહેતા અને ખેતી કામ કરતા યોગેશભાઈ અમૃતભાઈ ચૌહાણ જાતે દલવાડી (૩૦) એ અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે ટીકર ગામે જાપા પાસે આવેલ ચાની હોટલ નજીક હતા ત્યારે તેનો ઓપો કંપનીનો એ-૭૭ મોડલનો મોબાઇલ કે જેની કિંમત ૫૦૦૦ રૂપિયા છે તેની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે શરૂ કરેલ છે.






Latest News