મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના ખાખરેચી નજીક ટ્રેક્ટરને ટ્રક ટેન્કરના ચાલકે હડફેટે લેતા એક યુવાનનું મોત: સાતને ઇજા


SHARE







મોરબીના ખાખરેચી નજીક ટ્રેક્ટરને ટ્રક ટેન્કરના ચાલકે હડફેટે લેતા એક યુવાનનું મોત: સાતને ઇજા

મોરબી તાલુકાના ખાખરેચી ગામના પાટીયા પાસે આવેલ ડાયવર્ઝનમાંથી ટ્રેક્ટર પસાર થઈ રહ્યું હતું ત્યારે તેના સાંતીડાની ઉપરના ભાગમાં યુવાન સહિત લોકો બેઠા હતા ત્યારે ટ્રક ટેન્કરના ચાલકે ટ્રેક્ટરને ઠોકર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જેથી ટ્રેક્ટરમાં બેઠેલા લોકો નીચે પડ્યા હતા ત્યારે યુવાન ટ્રકની નીચે આવી હતા કચડાઈ જવાથી તેનું મોત નીપજયું હતું અને અન્ય પાંચ વ્યક્તિને નાના મોટી ઈજાઓ થઈ હોવાથી તેને મોરબી અને રાજકોટ ખાતે સારવાર માટે લઇ જવામાં આવેલ છે અને મૃતક યુવાનની પત્ની દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ટેન્કરના ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ મધ્ય પ્રદેશના ધાર જિલ્લાના રહેવાસી અને હાલમાં નવા ખારચિયા ગામે પ્રભુભાઈ ઉર્ફે બાલુભાઇ ગોકળભાઈના મકાનમાં ભાડેથી રહેતા અને મજૂરી કામ કરતા સબલીબેન માનસિંગ મેહડા જાતે અનુ. જનજાતિ (૨૬)એ ટ્રક ટેન્કર નં. જીજે ૧૨ બીડબલ્યુ ૭૧૫૯ ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યૂ છે કે, મોરબી તાલુકાના જૂના ખાખરેચી ગામના પાટીયા પાસે આવેલ ડાયવર્ઝન પાસેથી ફરિયાદીના શેઠના ટ્રેક્ટર નંબર જીજે ૩૬ આર ૬૦૩૬ માં પાછળના ભાગે સાતિડો લગાવેલ હતો અને તેના ઉપર ફરિયાદીના પતિ માનસિંગ ધુલિયાભાઈ મેહડા જાતે અનુ. જન જાતિ (૪૨) તથા ફરિયાદી તેનો દીકરી સંતર, પાડોશમાં રહેતા વારસિંગ કાંતિભાઈ મેહડા (૪૦), અજય કાંતિભાઈ મેહડા (૧૬), રાધિબેન કાંતિભાઈ મેહડા (૧૮) અને બારું ભંગુભાઈ મછાર (૧૯) બેઠેલ હતા અને ભંગુભાઈ ટ્રેકટર ચલાવી રહ્યા હતા

બંધા જ લોકો ફરિયાદીના શેઠની વાડીએ નીંદામણ કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે ટ્રક ટેન્કરના ચાલકે પાછળથી ટ્રેક્ટરને ઠોકર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ફરિયાદીના પતિ માનસિંગ મેહડા ટ્રકની નીચે કચડાઈ જવાથી તેનું મોત નીપજયું હતુ અને બાકીના બધાને નાના મોટી ઇજા થયેલ હતી જેથી કરીને તેને મોરબી સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાંથી હાલમાં વારસિંગ કાંતિભાઈ મેહડાને રાજકોટ ખાતે સારવાર માટે લઈને ગયા છે અને અકસ્માત સર્જીને વાહન ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર છોડીને નાસી ગયો હતો જેથી હાલમાં મૃતક યુવાનના પત્ની દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ટેન્કરના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા

વાંકાનેરમાં વાંઢા લીમડા ચોક ખોડીયાર ઘૂઘરા પાસેથી વાંકાનેરની હરીપાર્ક સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈ દેવશીભાઈ ધરોડિયા જાતે પ્રજાપતિ (૫૩) પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેના બાઈકને રીક્ષા નંબર જીજે ૩૬ યુ ૩૩૫૦ ના ચાલકે અડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં આધેડને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માત સર્જીને રીક્ષા ચાલક પોતાનું વાહન લઈને ત્યાંથી નાસી ગયો હતો જેથી કરીને હાલમાં ભોગ બનેલા આધેડ દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે રિક્ષાચાલક સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News