માળીયા હળવદ હાઇવે રોડ ઉપરથી 6672 બોટલ દારૂ ભરેલ ટ્રક સાથે એક ઝડપાયો, 40.16 લાખનો મુદ્દામાલ કબજે: માલ મોકલાવનાર-મંગાવનાર સહિતનાઓને પકડવા તજવીજ શરૂ ટંકારાના ખાખરા ગામેથી 45 બોટલ દારૂ સાથે એક ઝડપાયો: મોરબીમાંથી દારૂની 7 બોટલ સાથે એક પકડાયો મોરબીમાં આઇપીએલની ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ: ફૂલછાબ કોલોનીમાં જાહેરમાં જુગાર રમતા ચાર પકડાયા હળવદના રાયસંગપર ગામ પાસે ડબલ સવારી બાઈક સ્લીપ થતા એકનું મોત: એકને ઇજા મોરબીના સાદુળકા ગામ પાસે નવા બનતા કારખાનામાં તોડફોડ કરીને 3.5 લાખનું નુકસાન: 1.75 લાખના કોપર વાયરની ચોરી મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર કાર ચાલકે બાઈકને હડફેટે લેતા હાથ કપાઈ જવાથી આધેડનું મોત મોરબીના ઘુટુ ગામ નજીક કારખાનામાં ગેરકાયદેસર પ્રવેશ કરનારા શખ્સોને રોકનાર સિક્યુરિટી ગાર્ડ ઉપર ધારદાર પતરા વડે જીવલેણ હુમલો, ચાર સામે ફરિયાદ મોરબી શહેર અને વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના જુદા જુદા બનાવમાં કુલ ત્રણ વ્યક્તિઓના મોત
Breaking news
Morbi Today

ઝૂલતા પુલ કેસમાં વીપી ફાઈલ કરનાર જયસુખ પટેલના વકીલ અનિલ દેસાઈનો રાજકોટ બાર એસો.એ ખુલાસો મંગાયો


SHARE













ઝૂલતા પુલ કેસમાં વીપી ફાઈલ કરનાર જયસુખ પટેલના વકીલ અનિલ દેસાઈનો રાજકોટ બાર એસો.એ ખુલાસો મંગાયો

મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલ તરફે રોકાનાર વરિષ્ઠ ધારાશાસ્ત્રી અનિલ દેસાઈનો રાજકોટ બાર દ્વારા ખુલાસો મંગાયો છે. રાજકોટ બાર એસો.એ બનાવ વખતે ઠરાવ કરી આ કેસમાં આરોપીઓ વતી કોઈ વકીલ નહીં રોકાય તેવી જાહેરાત કરેલી. જેથી ખુલાસો માંગવામાં આવ્યો છે.

રાજકોટ બાર એસો.એ જે તે સમયે જાહેરાત કરી હતી કે રાજકોટ બારના કોઈ વકીલ આ કેસમાં આરોપીઓ વતી વકીલ તરીકે નહીં રોકાય. આ અંગે બારની બોડીએ એક ઠરાવ પણ કર્યો હતો. જોકે, તાજેતરમાં જ તા. ૫ ઓગષ્ટના રોજ મોરબી સેશન્સ કોર્ટમાં એક વકીલાતનામું રજૂ થયું જે વકીલાતનામાંમાં જયસુખ ઓધવજી પટેલના બચવા પક્ષે એડવોકેટ અનિલકુમાર આર. દેસાઈ રોકાયા હોવાનું જણાવાયું હતું. આ વકીલાતનામું રજૂ થતા જ વકીલોમાં ભારે ચર્ચા છેડાઈ હતી. અનિલભાઈ દેસાઈ સિનિયર એડવોકેટ છે. અનેક ચકચારી કેસોમાં તેઓ વકીલ તરીકે રોકાયેલા છે. ઉપરાંત પ્રદેશ ભાજપ લીગલ સેલના સહ કન્વીનર પણ છે. તેઓ રાજ્યના વકીલોમાં ખૂબ જાણીતા છે. તેઓએ ઠરાવ હોવા છતાં આ કેસના આરોપી જયસુખ પટેલ તરફે વકીલાતનામું કરતા વકીલોમાં ચર્ચા જાગી હતી. તેમાં પણ રાજકોટમાં વકીલોના બે જુદા જુદા ફાંટા પડી ગયા છે. જેને લઈ વિવાદ ચગ્યો છે. અમુક વકીલોએ રાજકોટ બારને લેખિત રજૂઆત કરી કે, સિનિયર એડવોકેટે ઠરાવનો ભંગ કર્યો છે. માટે યોગ્ય કરવા માંગ કરાઈ હતી






Latest News