મોરબી પાલિકાના સફાઈ કર્મચારીને નિવૃત્ત થયાનું કહી ભ્રષ્ટાચાર !: કોંગ્રેસ
મોરબીમાં વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ દ્વારા વક્તૃત્વ સ્પર્ધા યોજાઇ
SHARE
મોરબીમાં વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ દ્વારા વક્તૃત્વ સ્પર્ધા યોજાઇ
મોરબી વરિયા પ્રજાપતિ સમાજની શેક્ષણિક સંસ્થા વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ દ્વારા વરિયા બોર્ડિંગ ખાતે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાં વરિયા પ્રજાપતિ સમાજના થાન, વાંકાનેર, રાજકોટ, મોરબી અને મકનસર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના ૬૫ થી વધુ સ્પર્ધાકોએ ભાગ લીધો હતો. અને કુલ ત્રણ કેટેગરીની વય મર્યાદા મુજબ સ્પર્ધા યોજાઈ હતી આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે મોરબી આર્ટ્સ કોલેજના પ્રોફેસર રામભાઈ વારોતરીયા, એલ.ઈ. કોલેજ મોરબીના પ્રોફેસર જાગૃતિબેન ભેડા તેમજ મોરબીના જાણીતા કવિ અને લેખક રૂપેશભાઈ પરમાર (કવિ જલરૂપ) નિર્ણાયક તરીકે હાજર રહ્યા હતા આ સ્પર્ધામાં દરેક સ્પર્ધાકોને સન્માનપત્ર તેમજ ત્રણય વિભાગના પ્રથમ ત્રણ વિજેતાઓને સમાજના આગેવાનોના હસ્તે રોકડ પુરસ્કાર, શિલ્ડ અને વિશેષ મોમેન્ટો આપીને સન્માનિત કરાયા હતા.









